ફર્ઝ નમાઝો પછી દુરૂદ શરીફ પઢવુ

عن أبي أمامة عن النبي صلى الله عليه وسلم قال: من دعا بهؤلاء الدعوات في دبر كل صلاة مكتوبة حلت له ‏الشفاعة مني يوم القيامة اللهم أعط محمدا الوسيلة واجعله في المصطفين محبته، وفي العالين درجته وفي المقربين ‏داره (المعجم الكبير للطبراني، الرقم: ۷۹۲٦، وفيه مطرح بن يزيد وهو ضعيف كما في مجمع الزوائد، الرقم: ۱٦۹۸۱، وقد تحرفت كلمة العالين إلى العالمين في ‏المعجم الكبير ومجمع الزوائد كما نبه عليه الشيخ محمد عوامة في حاشيته على القول البديع صـ ۳٦۳)‏

હઝરત અબુ ઉમામહ (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ દરેક ફર્ઝ નમાઝ બાદ (નિમ્નલિખિત) શબ્દોની સાથે દુઆ કરશે, તે કયામતનાં દિવસે મારી શફાઅતનો હકદાર થશેઃ

اَللّٰهُمَّ أَعْطِ مُحَمَّدًا الْوَسِيْلَةَ وَاجْعَلْهُ فِيْ الْمُصْطَفَيْنَ مَحَبَّتَهُ وَفِيْ الْعَالِيْنَ دَرَجَتَهُ وَفِيْ الْمُقَرَّبِيْنَ دَارَهُ

હે અલ્લાહ ! મુહમંદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને વસીલાનું (સ્થાન) અર્પણ ફરમાવજો અને બરગુઝીદા (પસંદીદા) લોકોનાં દિલોમાં તેમની મુહબ્બત નાંખી દે અને ઉચ્ચ મર્તબો (સ્થાન) લોકોમાં તેમને શામિલ ફરમાવો અને મુકર્રબ બંદાવોની સાથએ તેમનુ ઠેકાણું બનાવજો.”

હઝરત અનસ બિન નઝ઼ર (રદિ.) નાં દિલમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મોહબ્બત અને ગઝવએ ઉહદમાં તેમની શહાદત

ગઝવએ ઉહદમાં જ્યારે મુસલમાન હારી રહ્યા હતા, તો તે દરમિયાન આ ખબર ફરવા લાગી કે હઝરત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને શહીદ કરી દેવામાં આવ્યા. આ ખબર સાંભળી ઘણાં બઘા સહાબએ કીરામ (રદિ.) નાં દિલો પર માયૂસી છવાઈ ગઈ અને તેઓ ઘણાં ગમગીન થઈ ગયા.

હઝરત અનસ બિન નઝ઼ર (રદિ.) હઝરત ઉમર (રદિ.) અને હઝરત તલ્હા (રદિ.) ને સહાબએ કિરામ (રદિ.) ની એક જમાઅતની સાથે ઘણાં ગમગીન, દુઃખમાં અને માયૂસીનાં આલમમાં જોયા, તો તેવણે તેઓને સવાલ કર્યો કે આખિરકાર તમે બઘા રન્જીદા અને માયૂસ કેમ દેખાઈ રહ્યા છો? સહાબએ કિરામ (રદિ.) જવાબ આપ્યોઃ રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને શહીદ કરી દેવામાં આવ્યા છે.

હઝરત અનસ બિન નઝ઼ર (રદિ.) તરતજ ચીસો પાડી ઉઠ્યા અને કહ્યુઃ એમના પછી કોને જીવતા રેહવાનુ પસંદ છે ? આવો, આપણે પોતાની તલવારોને લઈને અગાળી વઘીયે અને આપણા મહબૂબ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાથે જઈ મળીયે. ત્યાર બાદ તેવણે તરતજ પોતાની તલવાર લીઘી અને દુશ્મનોંની સફોમાં કુદી પળ્યા અને ઘણી બહાદુરીની સાથે લળતા રહ્યા અહિંયા સુઘી કે શહીદ થઈ ગયા. (દલાઈલુન નુબુવ્વહ)

હઝરત અનસ બિન નઝ઼ર (રદિ.) નાં દિલમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની આટલી બઘી મોહબ્બત હતી કે તેવણે પોતાને રસુલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં વગર આ દુનિયામાં રેહવાનાં કાબિલ ન સમજ્યા.

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...