નમાઝ માં ઇમામત માટે સૌથી વધુ હકદાર

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ને ફરમાયા:

لا ينبغي لقوم فيهم أبو بكر أن يؤمهم غيره (سنن الترمذي، الرقم: ٣٦٧٣)

જે જમાઅતમાં અબુ બકર રદિ અલ્લાહુ અન્હુ હાજર હોય, ત્યાં અબુ બકર સિવાય અન્ય કોઈ બીજા માટે મુનાસિબ નથી કે નમાઝમાં લોકોની ઈમામત કરે.

હઝરત અબુ બકર રદિઅલ્લાહુ અન્હુ – ખુબીઓ અને ભલાઈના પેકર

એકવાર હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે સહાબા-એ-કિરામ રદીઅલ્લાહુ અન્હુમ ને પૂછ્યું: આજે તમારામાંથી કોણે રોજો રાખ્યો છે? હઝરત અબુ બકર રદીઅલ્લાહુ અન્હુએ ફરમાવ્યુ: મેં આજે રોજો રાખ્યો છે.

પછી નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરી પૂછ્યું: આજે તમારામાંથી કોણે બીમાર વ્યક્તિની ઈયાદત (દર્દીની સ્થિતિ વિશે પૂછપરછ કરવા માટે જવું) કરી છે? હઝરત અબુ બકર રદિઅલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો: મેં એક બીમાર માણસની ઈયાદત કરી છે .

તે પછી, નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે પૂછ્યું: આજે તમારામાંથી કોણ જનાજામાં શરીક થયું છે? હઝરત અબુ બકર રદિઅલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો: હું આજે એક જનાજામાં સામેલ થયો છું.

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે પૂછ્યું: આજે તમારામાંથી કોણે કોઇ ગરીબને ખાવાનું ખવડાવ્યું છે? હઝરત અબુબકર રદીઅલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો: મેં આજે એક ગરીબને ભોજન કરાવ્યું છે.

પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યુ: જેનામાં આ બધી ખુબીઓ જમા થઈ ગઈ, તે ચોક્કસપણે જન્નતમાં દાખલ થશે. (સહીહ મુસ્લિમ)

Check Also

અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી: …