અઝાન પછી બીજી દુઆ

عن عبد الله بن مسعود رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: ما من مسلم يقول: إذا سمع ‏النداء فيكبر المنادي فيكبر ثم يشهد أن لا إله إلا الله وأن محمدا رسول الله فيشهد على ذلك ثم يقول: ‏اللهم أعط محمدا الوسيلة واجعل في عليين درجته وفي المصطفين محبته وفي المقربين داره إلا وجبت له ‏شفاعة النبي صلى الله عليه و سلم يوم القيامة (شرح معاني الآثار، الرقم: ۸۹٤)‏

હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે પણ મુસલમાન અઝાન સાંભળે અને મુઅઝ્ઝિનની તકબીરનાં જવાબમાં અલ્લાહુ અકબર પઢે પછી જ્યારે મુઅઝ્ઝિન કલિમએ શહાદત (અશ્હદુ અલ લાઈલાહ ઈલ્લાહ વઅન્ન મુહમ્મદર રસૂલુલ્લાહ) પઢે, તો તે કલિમએ શહાદત પણ પઢે પછી  (કલિમએ શહાદત પઢવા બાદ) તે નીચે લખેલી દુઆ પઢે, તો તેનાં માટે કયામતનાં દિવસે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅત વાજીબ હો જાયેગી.

اللّٰهُمَّ أَعْطِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَاجْعَلْ فِيْ عِلِّيِّينَ دَرَجَتَهُ وَفِيْ الْمُصْطَفَيْنَ مَحَبَّتَهُ وَفِيْ الْمُقَرَّبِيْنَ دَارَهُ

હે અલ્લાહ ! મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) કો “વસીલા” (એટલે કયામતનાં દિવસે આખી ઉમ્મતનાં માટે સિફારિશનો હક) અર્પણ ફરમાવ, તેમને ઈલ્લિય્યીનનાં સ્થાનમાં ઉચ્ચ દરજો નસીબ ફરમાવ, પસંદ કરેલ બંદાવોનાં દિલોમાં તેમની ખાસ મોહબ્બત નાંખી દે અને મુકર્રબ લોકોની સાથે તેમનું સ્થાન બનાવ.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની તરફથી ખુશ ખબરી

હજરત મોહમ્મદ ઉતબી (રહ.) ફરમાવે છે કે હું હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની કબર મુબારક પાસે બેસેલો હતો. તે દરમિયાન એક અઅરાબી આવ્યો અને તેણે પોતાનોં ઊંટ મસ્જીદે નબવીનાં દરવાજા પાસે બેસાડી દીઘો. પછી તે કબર મુબારક તરફ અગાળી વધ્યો અને અત્યંત આજીઝી અને મોહબ્બતની સાથે સલાતો સલામ પઢ્યુ અને અલ્લાહ તઆલાથી ઘણાં ખૂબસૂરત અંદાજમાં દુઆ કરી.

પછી તેણે કહ્યુઃ હે અલ્લાહનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મારા માં-બાપ તમારા પર કુર્બાન થાય બેશક અલ્લાહ તઆલાએ આપને અંતિમ નબી બનાવ્યા છે અને આપ પર વહી (એટલે કુર્આન મજીદની વહી) નાઝિલ કરી છે. તથા આપ પર એવી અનોખી અને જામેઅ કિતાબ (કુર્આન મજીદ) ઉતારી છે, જેમાં બઘા અંબિયાએ કિરામ અને રસૂલોનાં ઉલૂમ છે. તે કિતાબમાં અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ

وَ لَوۡ اَنَّہُمۡ اِذۡ ظَّلَمُوۡۤا اَنۡفُسَہُمۡ جَآءُوۡکَ فَاسۡتَغۡفَرُوا اللّٰہَ وَ اسۡتَغۡفَرَ لَہُمُ الرَّسُوۡلُ لَوَجَدُوا اللّٰہَ تَوَّابًا  رَّحِیۡمًا ﴿۶۴﴾  (سورة النساء: ٦٤)

અને જ્યારે તે લોકોએ પોતાની જાનો પર ઝુલમ કર્યો હતો અગર તેઓ તે વખતે તમારી પાસ આવતે અને અલ્લાહ તઆલાથી મગફિરત માંગતે અને રસૂલ પણ તેઓનાં માટે મગફિરતની દુઆ કરતે તો આ અલ્લાહ તઆલાને ઘણાં માફ કરવા વાળા અને ઘણાં રહમ કરવા વાળા જોતે.

પછી તે અઅરાબીએ કહ્યુ હે અલ્લાહનાં રસૂલ ! હું આ આયતે કરીમાનાં હુકમને પૂરો કરવા માટે આપનાં રોઝા પર હાજર થયો છું. બેશક હું ગુનેહગાર છું. મેં અલ્લાહ તઆલાનાં અહકામોની ખિલાફ વરઝી (વિરોધ) કરી છે. મેં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી શફાઅતની ભીક માંગતો છું. તમો અલ્લાહ તઆલાથી મારા ગુનાંહોની બખશિશ માંગો. પછી તેણે નીચે લખેલી કવીતા પઢીઃ

يَا خَيْرَ مَنْ دُفِنَتْ بِالْقَاعِ أَعْظُمُهُ ** فَطَابَ مِنْ طِيْبِهِنَّ الْقَاعُ وَالْأَكَمُ

હે જમીનમાં દફન કરવામાં આવેલી સૌથી બેહતરીન હસ્તી, આપની ખુશ્બુથી મૈદાન અને ટીલાઓ ખુશ્બુદાર થઈ ગયા.

نَفْسِيْ الْفِدَاءُ لِقَبْرٍ أَنْتَ سَاكِنُهُ ** فِيْهِ الْعَفَافُ وَفِيْهِ الْجُوْدُ وَالْكَرَمُ

મારી જાન તે કબર પર કુર્બાન થાય, જેમાં આપ રહી રહ્યા છે, તેમાં પાકીઝગી છે અને સખાવત તથા કરમ છે.

પછી તે અઅરાબી ચાલી ગયો. ઈમામ મોહમ્મદ ઉત્બી (રહ.) ફરમાવે છે કે તેનાં જવા બાદ મને ઊંઘ આવી ગઈ. તો મેં સપનાં માં જોયુ કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મને કહી રહ્યા છે કે હે ઉત્બી ! જાવો તે અઅરાબીને ખુશખબરી સંભળાવો કે અલ્લાહ તઆલાએ તેનાં ગુનાહોને માફ કરી દીઘા.

 હઝરત ઝૈદ બિન દષિના (રદિ.) ની મુહબ્બત હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે

જ્યારે કુફ્ફારે હઝરત ઝૈદ(રદિ.) ને કેદ કર્યા અને કતલ(હત્યા) કરવાનો નિર્ણય કર્યો તો તેઓએ તેમને પુછ્યુ કે, “હે ઝૈદ તને ખુદાની ક઼સમ સાચુ કહેજો શું તને આ પસંદ છે કે મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ગરદન તારા બદલામાં મારી દેવામાં આવે અને તને છોડી દેવામાં આવે કે પોતાનાં કુટુંબમાં સુખી અને ખુશ રહે?”

હઝરત ઝૈદ(રદિ.) ફરમાવ્યુ કે, “ખુદાની ક઼સમ મને એ પણ ગવારા નથી કે હુઝૂરે અક઼દસ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ્યાં છે ત્યાં તેમને એક કાંટો પણ લાગે અને અમે પોતાનાં ઘરમાં આરામથી રહીએ.” આ જવાબ સાંભળી કુફ્ફાર હૈરાન રહી ગયા, અબુ સુફિયાને કહ્યુ, “મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં સાથિયોને જેટલી તેમનાંથી મુહબ્બત જોયી તેની નઝીર(તેમનાં જેવા) ક્યાંય નથી જોયી.” (ફઝાઈલે આમાલ, પેજ નં-૬૨)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...