મુલાકાતનાં સમયે દુરૂદ શરીફ પઢવુ

عن أنس عن النبي صلى الله عليه وسلم قال: ما من عبدين متحابين في الله يستقبل أحدهما صاحبه فيصافحه ويصليان على النبي صلى الله عليه وسلم إلا لم يفترقا حتى تغفر ذنوبهما ما تقدم منهما وما تأخر (مسند أبي يعلى الموصلي، الرقم: ۲۹٦٠، وفيه درست بن حمزة وهو ضعيف كما في مجمع الزوائد، الرقم: ۱۷۹۸۷)

હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે બે એવા મુસલમાન જે માત્ર અલ્લાહ તઆલાનાં વાસ્તે એક-બીજાની સાથે મુહબ્બત કરે છે, જ્યારે તે એક-બીજાની સાથે મુલાકાત કરે છે અને મુસાફહો કરે છે પછી નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલે છે, તો તે બન્નેવ હજી સુઘી જુદા પણ ન થાય કે તેમનાં આગલા-પાછલા (સગીરા) ગુનાહ માફ કરી દેવામાં આવે છે.

જન્નતનાં કપડા પેહરાવી માન-સન્માન

હઝરત સુફિયાન બિન ઉયયના (રહ.) ફરમાવે છે કે ખલફ (રહ.) ફરમાવ્યુ કે મારો એક સાથી હતો. અમે બન્નેવ એક સાથે હદીષનો ઈલ્મ હાસિલ કરી રહ્યા હતા. જ્યારે તેનો ઈન્તેકાલ થઈ ગયો, તો મેં તેને સપનામાં ખુબ સુંદર, લીલા રંગનાં કપડા પેહરલો જોયો. તો મેં તેને સવાલ કર્યો કે, “આપણે બન્નેવ એક સાથે હદીષ પઢતા હતા, અંતે તને આ ઉચ્ચ તરીન સ્થાન અને સ્થાન અને સન્માન કેવી રીતે મળ્યો?” તેણે જવાબ આપ્યોઃ હાં, આપણે બન્નેવ એક સાથે હદીષ લખ્યા કરતા હતા, પરંતુ મારો નિયમ હતો કે જ્યારે પણ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું મુબારક નામ આવતુ હતુ, હું “સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) લખતો હતો. જેથી તે અમલનાં બદલામાં અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ મને આ માન-સન્માન અતા ફરમાવ્યો છે. (અલવલુલ બદીઅ, પેજ નં-૪૮૬)

સુવા પેહલા દુરૂદ શરીફ પઢવુ

હઝરત મુહમ્મદ બિન સઈદ મુતર્રિફ (રદિ.) એક નેક અને મુત્તકી વ્યક્તિ હતા. તેવણે પોતાનો વાકિઓ બયાન કર્યો કે

મારો નિત્યક્રમ (મામૂલ) હતો કે હું દરેક રાત્રે બિસ્તર પર સુવા પેહલા ચોક્કસ સંખ્યામાં દુરૂદ શરીફ પઢ્યા કરતો હતો.

એક રાત્રે હું મારા કમરા (ઓરડા) માં હતો. મેં દુરૂદ શરીફ પઢવાનો નિત્યક્રમ પૂરો કર્યો અને સૂઈ ગયો. જેવી મને ઊંઘ આવી, મેં એક સપનુ જોયુ કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મારા કમરા(ઓરડા) માં દાખલ થયા અને આપનાં પ્રકાશથી આખો કમરો (ઓરડો) જગમગી ઉઠ્યો.

પછી રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મારી તરફ ધ્યાન કેન્દ્રિત કર્યુ અને ફરમાવ્યુઃ “તમારુ મોઢું મારા કરીબ લાવો, જેનાં દ્વારા તમે વધારે પ્રમાણમાં મારા પર દુરૂદ મોકલ્યા કરો છો, જેથી કે હું તેને ચુંબન કરૂં. મને શરમ અનુભવાઈ કે હું પોતાનું મોઢુ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સામે કરૂં, તેથી મેં પોતાનો ગાલ આપનાં નજીક કરી દીધો. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાનું મુબારક મોઢું મારા ગાલ પર મુક્યુ અને તેને ચુંબન કર્યુ.

ત્યાર બાદ હું તરતજ ખુશી ખુશી ઉઠ્યો અને મારી એહલીયા(પત્ની) ને પણ જગાડી જે મારી નજીક સુતેલી હતી. ઉઠ્યા બાદ અમને અમારો આખો ઓરડો (કમરો) મુશ્કથી સુગંધિત મળ્યો, કારણકે આ ઓરડા(કમરા) માં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં જીસ્મ મુબારકની ખુશ્બુ સમાઈ ગઈ હતી. અને મારા ગાલ પર આંઠ(૮) દિવસ સુઘી મુશ્કની તે ખુશ્બુ બાકી રહી, જે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં ચુમવા બાદ પૈદા થઈ હતી. આંઠ(૮) દિવસ સુઘી દરેક દિવસે મારી એહલિયા (પત્ની) મારા ગાલ પર મુશ્કની ખુશ્બુ અનુભવતી રહી. (અદ દુર્રુલ મનદુદ,પેજ નંબરઃ૧૮૭, અલ કવલુલ બદીઅ, પેજ નંબરઃ૨૮૮)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: https://ihyaauddeen.co.za/?p=17212

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...