નબિએ કરીમ સલ્લલ્લાહ ‘ઐલહિ વ સલ્લમનાં મુબારક નામની સાથે દુરૂદ શરીફ લખવુ

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي في كتاب لم تزل الملائكة تستغفر له ما دام اسمي في ذلك الكتاب (المعجم الأوسط للطبراني، الرقم: ۱۸۳۵، وسنده ضعيف كما في كشف الخفاء، الرقم: ۲۵۱۸)

હઝરત અબુ હુરૈરહ રદિઅલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ કોઈ કિતાબમાં મારૂ નામ લખે, ફરિશ્તાઓ તે સમય સુઘી લખવા વાળા પર દુરૂદ મોકલતા રહે છે જ્યાં સુઘી મારૂ નામ તેે કિતાબ માં રહે.”

સહાબએ કિરામ રદિઅલ્લાહુ ‘અન્હુમ અને દરેક વસ્તુમાં સુન્નતની ઈત્તેબા

એક વ્યક્તિએ હઝરત ‘અબ્દુલ્લાહ બિન ઉમર રદિ અલ્લાહુ ‘અન્હુમાને પૂછ્યું કે કુરાન શરીફમાં મુકીમની નમાઝનો પણ ઉલ્લેખ છે અને ખૌફની નમાઝનો પણ, પરંતુ મુસાફિરની નમાઝનો ઉલ્લેખ નથી.

તેમણે ફરમાવ્યું, ભત્રીજા! અલ્લાહ તઆલાએ હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમને નબી બનાવીને મોકલ્યા. આપણે લોકો અજાણ હતા, કંઈ જાણતા ન હતા, બસ અમે તેમને જે કરતા જોયા છે, તે જ કરીશું.

નોટઃ- હઝરત શૈખુલ હદીષ મૌલાના મુહમદ ઝકરિય્યા રહિમહુલ્લાહ એ લખેલુ છે:

“મકસદ આ છે કે દરેક મસઅલાનો સરાહતન(સાફ રીતે) કુર્આન શરીફમાં હોવુ જરૂરી નથી. અમલનાં માટે હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ થી સાબિત થઈ જવુ કાફી છે. ખુદ હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ નો ઈરશાદ છે કે “મને કુર્આન શરીફ અર્પણ(અતા) થયુ અને તેનાં બરાબર બીજા અહકામ આપવામાં આવ્યા. ટૂંક સમયમાં તે જમાનો આવવાનો છે કે પેટ ભરેલા લોકો તેમના ગાદલા ઓ પર બેસીને કહેશે બસ કુર્આન શરીફને મજબૂતીથી પકડી લો જે તેનાં અંદર (કુર્આનમાં) હુકમો છે તેનાં પર અમલ કરો.” (ફઝાઈલે આમાલ, પેજ નં-૧૦૭)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: https://ihyaauddeen.co.za/?p=17212

Check Also

દુરૂદ શરીફ પઢવા માટે મખસૂસ (નિશ્ચિત) સમયની તાયીન (નિયુક્તિ)

عن محمد بن يحيى بن حبان عن أبيه عن جده رضي الله عنه أن رجلا قال يا رسول الله صلى الله عليه وسلم أجعل ثلث صلاتي عليك قال نعم إن شئت قال الثلثين...