દુરૂદ શરીફ પઢવાથી સદકાનો સવાબ

عن أبي سعيد الخدري رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم قال: أيما رجل مسلم لم تكن عنده صدقة فليقل في دعائه: اللهم صل على محمد عبدك ورسولك وصل على المؤمنين والمؤمنات والمسلمين والمسلمات فإنها زكاة وقال: لا يشبع مؤمن خيرا حتى يكون منتهاه الجنة (صحيح ابن حبان، الرقم: 903، وإسناده حسن كما في مجمع الزوائد، الرقم: ١٧٢٣١)

હઝરત અબૂ સઈદ ખુદરી રદિ અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે જે મુસલમાન પાસે સદકો કરવા માટે કંઈ ન હોય, તે પોતાની દુઆમાં આ દુરૂદ શરીફ પઢે:

اللهم صل على محمد عبدك ورسولك وصل على المؤمنين والمؤمنات والمسلمين والمسلمات

હે અલ્લાહ! તમારા બંદા અને રસૂલ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પર દુરૂદ મોકલો અને દરેક મોમિન મર્દ તથા મોમિન ઔરત અને દરેક મુસલમાન મર્દ અને મુસલમાન ઔરતોં પર રહમત મોકલો.

તો આ દુરૂદ ઝકાત (સદકો) ગણાશે (તેનાંથી સદકાનો ષવાબ મળશે). રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે વધારેમાં ઈરશાદ ફરમાવ્યું કે મોમિનનું પેટ કોઈ ભલાઈથી ક્યારેય નથી ભરાતુ, અહિંયા સુઘી કે તે જન્નતમાં પહોંચી જાય.

દુરૂદ શરીફ જિંદા અને મુર્દા બન્નેવનાં માટે રહમત નું બા’ઈસ (નિમિત્ત) છે

એક ઔરત હતી તેનો છોકરો ઘણો ગુનેહગાર હતો, તેની માં તેને વારંવાર સમજાવતી (નસીહત કરતી), પરંતુ તે બિલકુલ માનતો ન હતો, તેવીજ હાલતમાં તેનો ઈન્તિકાલ થઈ ગયો.

તેની માં ને ઘણોજ રંજ હતો કે તે તૌબા કરવા વગર મરી ગયો. તેણીની ઘણી તમન્ના હતી કે કંઈક રીતે તેને ખ્વાબ માં જોવે, તેને ખ્વાબ માં જોયો તો તે અઝાબ માં મુબ્તલા (જકડાયલો) હતો. તેનાં કારણે તેની માં ને હજી વધારે સદમો થયો.

એક જમાના પછી તેણીએ ફરીથી ખ્વાબમાં જોયુ તો તે ઘણીજ સારી હાલતમાં હતો, ઘણી ખુશીની હાલતમાં.

વાલિદાહએ પુછ્યું કે આ શું થઈ ગયુ.

તેણે કહ્યું કે એક ઘણો જ ગુનેહગાર માણસ આ કબ્રસ્તાન પાસેથી પસાર થયો. કબરોને જોઈને તેને કંઈક ઈબરત થઈ, તે પોતાની હાલત પર રડવા લાગ્યો અને સાચા દિલથી તૌબા કરી અને કંઈક કુર્આન શરીફ અને વીસ વખત દુરૂદ શરીફ પઢીને આ કબ્રસ્તાન વાળાઓ ને બખશી દીઘુ, જેમાં હું હતો તેમાંથી જે હિસ્સો મળ્યો આ તેનો અસર છે જે તમે જોઈ રહ્યા છો.

મારી અમ્માં! હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પર દુરૂદ દિલોનું નૂર છે, ગુનાહોંનો કફ્ફારો છે અને જિંદા અને મુર્દા બન્નેવનાં માટે રહમત છે. (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૭૧)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: http://whatisislam.co.za/index.php/durood/item/633-the-reward-of-sadaqah-through-reciting-durood , http://ihyaauddeen.co.za/?p=5973

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...