એતેકાફ ની હાલતમાં મસ્જીદથી તબરીદ ગુસલ માટે નિકળવુ

સવાલ- એક માણસ મસ્જીદમાં સુન્નત એતેકાફ માટે બેઠો છે. શું તેનાં માટે ઠંડક હાસિલ કરવાની ગરજ થી ગુસલ કરવા માટે મસ્જીદથી નિકળવુ જાઈઝ છે?

જવાબ- ઠંડક હાસિલ કરવાની ગરજથી મુઅતકિફે મસ્જીદથી ગુસલનાં માટે નિકળવુ જાઈઝ નથી. અગર મોતકિફ મસ્જીદથી આ ગરજનાં માટે નિકળી જાય તો તેનો સુન્નત એતેકાફ ટૂટી જશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(وحرم عليه) أي على المعتكف اعتكافا واجبا أما النفل فله الخروج لأنه منه له لا مبطل كما مر ( الخروج إلا لحاجة الإنسان ) طبيعية كبول وغائط وغسل لو احتلم ولا يمكنه الاغتسال في المسجد كذا في النهر (الدر المختار مع رد المحتار ۲/٤٤٤-٤٤۵, الفتاوى الهندية ۱/۲۱۲)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/587

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?