સવાલ: જો કોઈ માણસ શરઈ ઉઝ્ર વગર રમઝાનુલ-મુબારકમાં રોઝો ન રાખે અને લોકોની સામે ખુલ્લેઆમ ખાય કે પીવે, તો તેવા માણસ માટે શું હુકમ છે?

જવાબ: રમઝાનનો રોઝો એક બહુ મોટી ઇબાદત છે અને ઇસ્લામનું એક અઝીમ-શિઆર છે.
રમઝાન મહિનામાં બધાની સામે જાહેરમાં ખાવું-પીવું એ ઇસ્લામના આ અઝીમ-શિઆરની તૌહીન કરવા સમાન છે અને ગુનાહે-કબીરા છે.
જો કોઈ માણસ રમઝાનુલ-મુબારકમાં બધાની સામે ખાય કે પીવે છે, પરંતુ તે ઈમાનની નબળાઈને કારણે આવું કરે છે અને પોતાના આ કામને ગુનો પણ સમજે છે, તો તેવો માણસ ગુનાહે-કબીરા કરનાર ગણાશે; પરંતુ તે ઇસ્લામના દાયરામાંથી બહાર નહીં ગણાય.
પરંતુ, જો તે પોતાના આ કામને ગુનો નથી સમજતો, તો તે ઇસ્લામના એક અઝીમ-શિઆરની તૌહીન કરવાને કારણે ઇસ્લામના દાયરામાંથી બહાર થઈ જશે અને કાફિર થઈ જશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
ولو أكل عمدا شهرة بلا عذر يقتل و تمامه في شرح الوهبانية قال في الوهبانية : ولو أكل الإنسان عمدا و شهرة ولا عذر فيه قيل بالقتل يؤمر قال الشرنبلالي صورتها: تعمد من لا عذر له الإكل جهارا يقتل لأنه مستهزئ بالدين أو منكر (ردالمحتار على در المختار ج۲ص٤۱۳)
أحسن الفتاوى ۱/۳۷
જવાબ આપનારઃ
મુફતી ઝકરીયા માંકદા
ઈઝાજત આપનારઃ
મુફતી ઈબ્રાહીમ સાલેહજી
Source: http://muftionline.co.za/node/13
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી