ફરિશ્તાઓની સતત દુઆ

عن عامر بن ربيعة رضي الله عنه عن النبي صلى الله عليه و سلم قال: ما من مسلم يصلي علي إلا صلت عليه الملائكة ما صلى علي فليقلَّ العبد من ذلك أو ليكثر (سنن ابن ماجة، الرقم: 907، وإسناده ضعيف كما في مصباح الزجاجة 1/112)

હઝરત આમિર બિન રબીઆ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યું કે જે પણ મુસલમાન મારા ઉપર દુરૂદ મોકલે છે , ફરિશ્તા તેના માટે દુઆ કરતા રહે છે, ત્યાં સુઘી કે તે મારા ઉપર દુરૂદ મોકલતો રહે. (હવે બંદાને ઈખ્તિયાર છે કે તે) ઓછુ દુરૂદ પઢે અથવા વધારે દુરૂદ પઢે.

દલાઈલુલ ખૈરાતનાં લેખક

દલાઈલુલ ખૈરાતનું લખવાનું કારણ મશહૂર (પ્રસિદ્ધ) છે કે લેખક ને વુઝૂ કરવા માટે પાણીની જરૂરત હતી અને ડોલ,દોરીનાં ન હોવાનાં કારણે પરેશાન હતા.

એક છોકરીએ આ હાલત જોઈને પુછ્યું અને કુંવામાં થુંકી દીધુ, પાણી કિનારા સુધી ઉભળી આવ્યુ. લેખકે હૈરાન થઈ કારણ પુછ્યુ. તેણીએ કહ્યુ આ બરકત છે દુરૂદ શરીફની. ત્યાર પછી તેવણે આ કિતાબ દલાઈલુલ ખૈરાત લખી.

શૈખ ઝરૂક (રહ.) લખ્યુ છે કે દલાઈલુલ ખૈરાતના લેખકની કબર થી મુશ્ક અને અંબર ની ખુશ્બૂ આવે છે અને આ બધી બરકત દુરૂદ શરીફની છે. (ફઝાઈલે દુરૂદ,પેજનં-૧૫૨)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=4348 ,http://ihyaauddeen.co.za/?p=5591

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...