ઝકાતની તારીખ થી પેહલા માલનું ખતમ થઈ જવુ

સવાલ- અગર કોઈ માણસનો માલ (પૈસા) તેની ઝકાતની તારીખથી પેહલા ઓછો થઈ જાય, તો તે કેટલી મિકદાર (પ્રમાણ) પર ઝકાત અદા કરે?

ઉદાહરણ તરીકે બકર દસ લાખ રૂપિયાનો માલિક છે. તે દસ લાખ રૂપિયા પૂરા એક વર્ષ તેની પાસે રહ્યા. બકરની ઝકાતની તારીખ પેહલી મુહર્રમ છે. ઝકાતની તારીખથી થોડા દિવસો પેહલા બકરને વેપારમાં નવ (૯) લાખ રૂપિયાનું નુકસાન થયુ અને તેની પાસે માત્ર એક લાખ રૂપિયા બચ્યા. હવે શું બકર દસ લાખ રૂપિયાની ઝકાત અદા કરે યા એક લાખ રૂપિયાની?

જવાબ- ઝકાતની તારીખ પર જેટલો માલ માણસ પાસે હોય એટલા માલ પર તે ઝકાત અદા કરે. તેથી આ સૂરતમાં જયારે બકર ઝકાતની તારીખ પર તેની પાસે માત્ર એક લાખ રૂપિયા હોય તો તે માત્ર એક લાખ રૂપિયા ની ઝકાત અદા કરશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

وشرطه أي شرط افتراض أدائها حولان الحول وهو في ملكه اهـ. (الدر المختار ۲/۲٦۷)

ونقصان النصاب في الحول لا يضر إن كمل في طرفيه (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ۷۱۷)

وإذا كان النصاب كاملا في طرفي الحول فنقصانه فيما بين ذلك لا يسقط الزكاة (مختصر القدوري صـ ۵۷)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/33

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?