ફેમસ થવાની બીમારી

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એક મૌકા પર ફરમાવ્યું હતું:

ઉમ્મતની ખિદમત અને તેમના દીનની હિફાઝતની ફિકર કરવી જોઈએ. પોતાની શોહરતમાં શું રાખ્યું છે?

શોહરત બાબતે તો માણસનો મિજાજ (રુચિ) એવો હોવો જોઈએ કે, ન તો જીવતા કોઈને ખબર હોય કે આ દુનિયામાં ફલાણો માણસ પણ રહે છે અથવા ફલાણા માણસે આ કામ કર્યું છે; ન તો મર્યા પછી કોઈની જીભ પર એનું નામ આવે કે તે કોણ હતો, કોણ મરી ગયો અને શું કામ કરી ગયો. (મલફૂઝાતે-હકીમુલ-ઉમ્મત, ભાગ ૧૦, પાના નં. ૧૯)

Check Also

દીનની ખાતર અલ્લાહ ત’આલાની આપેલી ભેટ (તોહફો) વાપરવી

હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એક વાર ઈર્શાદ ફરમાવ્યો (કહ્યું): وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ …