અલ્લાહના રસૂલ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમના સૌથી વધારે પ્યારા લોકો

سأل سيدنا عمرو بن العاص رضي الله عنه ذات مرة فقال: يا رسول الله، أي الناس أحبّ إليك؟ قال صلى الله عليه وسلم: عائشة قال: من الرجال (من أحبّ إليك)؟ قال: أبو بكر قال: ثم من؟ قال: عمر قال: ثم من؟ قال: أبو عبيدة بن الجراح (صحيح ابن حبان، الرقم: ٤٦٠، صحيح البخاري، الرقم: ٣٦٦٢)

હઝરત અમ્ર બિન આસ રદ઼િય-લ્લાહુ અન્હુમાએ એક વખત રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમને પૂછ્યું કે તમામ લોકોમાં સૌથી વધારે કોનાથી મોહબ્બત છે? અલ્લાહના રસૂલ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: ‘આઇશા. પછી તેમણે પૂછ્યું: પુરુષોમાં? રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: અબૂ-બક્ર. પછી તેમણે પૂછ્યું: તેમના પછી? રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: ઉમર. પછી તેમણે પૂછ્યું: તેમના પછી? રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: અબૂ-ઉબૈદહ બિન જર્રાહ઼.

રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે કરીને ઉમ્મતની સામે હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્હુનું સ્થાન અને દરજ્જો જાહેર કર્યો

એકવાર રસુલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમ હઝરત અબૂ-બક્ર, હઝરત ઉમર, હઝરત અબૂ-ઉબૈદહ અને અન્ય સહાબા-એ-કિરામ રદ઼િય-લ્લાહુ અન્હુમ સાથે બેઠેલા હતા.

તે જ ટાઇમે હઝરત રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમને પીણું અર્પણ કરવવમાં આવ્યું. આપ સલ્લ-લ્લાહુ અલૈૈહિ વ-સલ્લમે તેને પોતાના હાથમાં લીધું અને હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્હુને આપ્યું જેથી તેઓ તેને પહેલા પી; પરંતુ રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમના માન ને કારણે, હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્હુએ પહેલા પીવાનું પસંદ ન કર્યુ; તેથી તેમણે રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમને વિનંતી કરી: હે અલ્લાહના રસૂલ! તમે પહેલા પીવા ના વધુ હકદાર છો.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમને ફરમાવ્યું, અબૂ-ઉબૈદહ! આ વાસણ લો અને (પહેલા) તમે પીવો, પછી હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્હુએ તે પાત્ર રસૂલુ-લ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના બાબરકત હાથમાંથી લીધું.

પીતા પહેલા, હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્-હુ એ ફરી એકવાર રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમ ને અદબપૂર્વક અર્ઝ કર્યુ: હે અલ્લાહના નબી! તમે તેને લો (અને તમે પહેલા પીઓ).

રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમે જવાબ આપ્યો:

اشرب فإن البركة مع أكابرنا

(ઓ અબૂ-ઉબૈદહ!) તમે પીઓ (પહેલા); કારણ કે બરકત (માંગલિકતા) આપણા વડીલો સાથે છે (એટલે ​​કે, ઉમ્મતને અલ્લાહ તઆલા તરફથી ત્યારે બરકત પ્રાપ્ત થશે જ્યારે તે તેના વડીલો સાથે અદબ અને ઇજ્જત સાથે વર્તેશે અને તેમને આગાળ રાખશે.)

તે પછી રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમે ફરમાવ્યું:

فمن لم يرحم صغيرنا ويجلّ كبيرنا فليس منا

જે આપણા નાનાઓ પર દયા (રહમ) નથી ખાતો; અને આપણા મોટાઓની ઇજ્જત નથી કરતો; તે આપણામાંથી નથી.

નોંધ: આ વાત ધ્યાનમાં રાખો કે જ્યારે આપણે વડીલો-બુઝુર્ગો સાથે વાતચીત કરીએ; ત્યારે સુન્નત રસ્તો એ છે કે આપણે તેમની સાથે પ્રેમ-મોહબ્બત અને ઇજ્જત-આદર સાથે વ્યવહાર કરીએ. તેમના પ્રત્યેની મોહબ્બત અને આદરની નિશાની એ છે કે આપણે તેમને આપણી જાત ઉપર પ્રાથમિકતા આપીએ.

આ જ કારણ છે કે જ્યારે રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમે હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્-હુ ને પહેલા પીવાની ઓફર કરી, ત્યારે હઝરત હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્-હુ એ પહેલા પીવાનું પસંદ ન કર્યુ; ત્યાં સુધી કે, તેમણે રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમને બે વાર પહેલા પીવા માટે વિનંતી કરી, કારણ કે આપ (રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમ) પહેલા પીવાના વધુ લાયક હતા.

હાં, જ્યારે રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમે તેમને પ્રથમ પીવાનો આદેશ આપ્યો, ત્યારે તેમણે તરત જ તેનું પાલન કર્યું; કારણ કે રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમ (અથવા કોઈપણ મોટા માણસ) ના હુકમનું પાલન કરવું અને તેના માટે પોતાની મરજીને કુર્બાન કરવુ એ સુન્નત છે.

આ ઘટના પરથી માલુમ પડે છે કે રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમનો ઉદ્દેશ્ય (મકસદ) ઉમ્મતને હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્-હુનો બુલંદ મકામ (ઉચ્ચ સ્થાન) અને મર્તબો બતાવવાનો હતો; જેથી ઉમ્મત પણ તેમનું સન્માન કરે, ઇજ્જત કરે.

રસુલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમ પાસે સહાબા-એ-કિરામ (અને ઉમ્મત) સમક્ષ (સામે) હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્-હુના મકામ અને દરજ્જાને જાહેર કરવાનો એક રસ્તો એ હતો કે આપ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમ પોતાના મુબારક મુંહથી સહાબા-એ-કિરામની સામે તેમના સદ્ગુણોને (ફઝીલતોને) બયાન કરતે. આ પદ્ધતિને (તરીકાને) પણ આપ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમે અપનાવી હતી, જેવી રીતે કે હદીસ-શરીફમાં ઉલ્લેખ છે કે રસૂલે-અકરમ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમે ફરમાવ્યું: અબૂ-ઉબૈદહ આ ઉમ્મતના (ખાસ) અમીન છે.

હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્-હુનો મકામ અને મર્તબાને સહાબા-એ-કિરામ (અને ઉમ્મત) સમક્ષ જાહેર કરવા માટે રસુલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમ પાસે બીજો રસ્તો એ હતો કે આપ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમ સહાબા-એ-કિરામની સામે કોઈ વ્યવહારુ પદ્ધતિ અપનાવે, જેના દ્વારા તેઓ તેમના માન-મોભા, શરાફત-સજ્જનતા અને ઉચ્ચ મકામને જાણી શકે. અને તેઓ તેમની સાથે ઇજ્જત-આદર સાથે વર્તે શકે; તેથી રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમે આ પદ્ધતિ અપનાવી કે તેમને પહેલા પીવા માટે વિનંતી કરી; જેથી તેમનો ઉચ્ચ મકામ ઉમ્મતની સામે પ્રગટ થઈ જાય.

Check Also

હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુની અલ્લાહની ખાતર જાન કુર્બાન કરવાની બૈઅત

હઝરત સા’દ બિન ‘ઉબાદહ રઝ઼િયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું: بايع رسولَ الله صلى الله عليه وسلم ‌عصابةٌ …