અમલ અને મહેનત કરવા વગર કોઈ ચારો નથી

શેખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહએ એકવાર ઇર્શાદ ફરમાવ્યું:

મારા વ્હાલાઓ! કંઈક કરી લો.

مَنْ طَلَبَ الْعُلى سَهِرَ الَّیَالِيَ

જે વ્યક્તિ કંઈક બનવા માંગે તો તેણે રાત્રે જાગવું પડે છે.

ફરમાવ્યું: એક વ્યક્તિ હતો જે હઝરત રાયપુરી રહિમુલ્લાહની ખિદમતમાં કેટલાક દિવસ સુધી રહ્યા અને ઝિક્ર-ઓ-અઝકારમાં લાગેલા રહ્યા.

એક દિવસ તેઓ હઝરતને કહેવા લાગ્યા કે હઝરત! ઝિકર તો કરું છું, પરંતુ મને કોઈ અસર મહેસૂસ થતી નથી.

આ સાંભળીને હઝરતે ફરમાવ્યું કે પુડિયા તો છે નથી જેને ઘોળીને પીવડાવી દેવામાં આવે, કંઈક તો કરવુ પડશે.
(પુડિયા = કાગળના ટુકડામાં લપેટી લી દવા)

અને ભાઈ! જુઓ! કરવાવાળો મહરૂમ નથી રહેતો, ભલે હું ગમે તેટલો ના-કાબિલ હોવું, ઇન્શા-અલ્લાહ મારી ના-કાબિલિયત આડે નહીં આવશે.

(મહરૂમ= અભાગી, જેને કોઈ વસ્તુ ન મળી શકી હોય)

મેં ઘણી વાર કહી ચુક્યો છું કે તલબ પર જ મબદા-એ-ફૈયાઝ (અલ્લાહ તઆલા) પાસે થી મળશે. (મલફૂઝાત હઝરત શેખ રહિમહુલ્લાહ, ભાગ ૧, પેજ નં. ૧૦૮)

Check Also

મહેમાનનો ઈકરામ

એક વખત એવું બન્યું કે કદાચ વરસાદ વગેરેને કારણે મૌલાનાને ત્યાં ગોશ્ત ન આવ્યુ અને …