અમલ અને મહેનત કરવા વગર કોઈ ચારો નથી

શેખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહએ એકવાર ઇર્શાદ ફરમાવ્યું:

મારા વ્હાલાઓ! કંઈક કરી લો.

مَنْ طَلَبَ الْعُلى سَهِرَ الَّیَالِيَ

જે વ્યક્તિ કંઈક બનવા માંગે તો તેણે રાત્રે જાગવું પડે છે.

ફરમાવ્યું: એક વ્યક્તિ હતો જે હઝરત રાયપુરી રહિમુલ્લાહની ખિદમતમાં કેટલાક દિવસ સુધી રહ્યા અને ઝિક્ર-ઓ-અઝકારમાં લાગેલા રહ્યા.

એક દિવસ તેઓ હઝરતને કહેવા લાગ્યા કે હઝરત! ઝિકર તો કરું છું, પરંતુ મને કોઈ અસર મહેસૂસ થતી નથી.

આ સાંભળીને હઝરતે ફરમાવ્યું કે પુડિયા તો છે નથી જેને ઘોળીને પીવડાવી દેવામાં આવે, કંઈક તો કરવુ પડશે.
(પુડિયા = કાગળના ટુકડામાં લપેટી લી દવા)

અને ભાઈ! જુઓ! કરવાવાળો મહરૂમ નથી રહેતો, ભલે હું ગમે તેટલો ના-કાબિલ હોવું, ઇન્શા-અલ્લાહ મારી ના-કાબિલિયત આડે નહીં આવશે.

(મહરૂમ= અભાગી, જેને કોઈ વસ્તુ ન મળી શકી હોય)

મેં ઘણી વાર કહી ચુક્યો છું કે તલબ પર જ મબદા-એ-ફૈયાઝ (અલ્લાહ તઆલા) પાસે થી મળશે. (મલફૂઝાત હઝરત શેખ રહિમહુલ્લાહ, ભાગ ૧, પેજ નં. ૧૦૮)

Check Also

મુસલમાન ની સહી સોચ

હઝરત મૌલાના ઇલ્યાસ સાહિબ રહ઼િમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: અપની તહી-દસ્તી કા યકીન (અપને ના-અહલ …