ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ

(૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના માટે ‘ઇદ્દતમાં બેસવું વાજીબ છે.

આવી ઔરત ની ‘ઇદ્દત (જેના શૌહરનો ઇન્તિકાલ થઈ જાય અને તે હામિલા {ગર્ભવતી} નથી) ચાર મહિના અને દસ દિવસ છે.

આ હુકમ એવા કેસમાં રહેશે જ્યારે શૌહરનો ઇન્તિકાલ કમરી મહિનાની પહેલી તારીખે થયો હોય.

(કમરી મહિનો = તે મહિનો જે ચાંદની રફતાર અનુસાર હોય છે, ચંદ્ર માસ)

(૨) જો શૌહરનો ઇન્તિકાલ કમરી મહિના દરમિયાન થાય (એટલે શૌહરનો ઇન્તિકાલ કમરી મહિનાની બીજી તારીખે અથવા તેના પછી થાય), તો આ સૂરતમાં બીવી ની ‘ઇદ્દત ૧૩૦ (એકસો ત્રીસ) દિવસની રહેશે.

(૩) જો ઔરત હામિલા (પેર્ગનેટ, ગર્ભવતી) હોય અને તેના શૌહરનો ઇન્તિકાલ થઈ જાય, તો આ સૂરતમાં તેની ‘ઈદ્દત પ્રસુતિ (બાળકના જન્મ) સુધી રહેશે. જ્યારે બાળકનો જન્મ થઈ જાય ત્યારે તેની ‘ઇદ્દત પૂરી થઈ જશે, પછી ભલે તે બાળકનો જન્મ થાય ત્યાં સુધી થોડો સમય વીતી જાય કે લાંબો સમય.

(૪) ઔરત શૌહરના ઘરમાં ઇદ્દત ગુજારશે (એટલે ​​કે, તેણી તે ઘરમાં ઇદ્દત ગુજારશે જ્યાં તેણી શૌહર સાથે તેની વફાત સમયે રહેતી હતી).

ઔરત માટે વગર જરૂરતે ઘરની બહાર નીકળવું જાઈઝ નથી.

(૫) જો ઔરત ઘરની બહાર હોય અને તેને શૌહરની વફાતના સમાચાર મળે, ખબર મળે તો તેણે તરત જ ઘરે આવીને ઇદ્દતમાં બેસી જવું જોઈએ.

(૬) જો ઔરત તેના શૌહરના ઇન્તિકાલ ને લઈને ઇદ્દત માં બેઠેલી હોય, તો તેણી પોતાની જરૂરિયાતો (ખોરાક, કપડાં વગેરે)ની વ્યવસ્થા પોતે કરે.

ઔરત માટે તેના શૌહરની છોડેલી સંપત્તિ અને માલનો ઉપયોગ કરવું જાઈઝ નથી; કારણ કે આ માલ આને સંપત્તિમાં બીજા વારસદારોનો પણ હક છે.

પરંતુ, તે મિલકતનો ઉપયોગ કરી શકે છે જે તેના પતિના વારસામાં તેનો હિસ્સો છે.

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...