સહાબએ કિરામ (રદિ.) કેવી રીતે અલ્લાહ તઆલાની મદદ હાસિલ કરી

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ‎ઈરશાદ ફરમાવ્યુઃ  

“ક્યારેય ન વિચારો દુનિયા શું તરક્કી કરી રહી છે, તરક્કી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઈત્તિબાઅમાં છે, સહાબએ કિરામ (રદિ.) પોતાનાં નેઝાવોને બાદશાહોની કાલીનો પર મારતા હતા કે તમારી વસ્તુઓની અમારા દિલમાં ઝર્રા બરાબર મૂલ્ય નથી અને આપણો હાલ તેનાંથી વિરૂદ્ધ છે અમારા દિલોમાં દુનિયાનું મૂલ્ય જ મૂલ્ય છે અને બીજું કંઈજ નથી, બસ આપણે જાતે પોતાને ઝલીલ કરી રાખ્યા છે, દુનિયાની મોહબ્બત એક વખત નિકળી જાય પછી જુવો.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૧૩૮)

Source: https://ihyaauddeen.co.za/?p=6518


Check Also

મદ્રસાના માલમાં એહતિયાત

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે હઝરત …