સહાબએ કિરામ (રદિ.) નું ઈમાન સફળતાનો સ્તર

અલ્લાહ તઆલાએ કુર્આને મજીદમાં સહાબએ કિરામ (રદિ.) ની પ્રશંસા કરી છે અને તેમનાં ઈમાનને ઉમ્મતનાં માટે હિદાયત અને સફળતાનો સ્તર કરાર આપ્યો છે.

અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ

તો જો તે (લોકો) પણ આવી રીતે ઈમાન લાવે જેવી રીતે તમે ઈમાન લાવ્યા છો, તો તેઓ સીઘા રસ્તા પર આવી જશે. (સુરએ બકરહ, ૧૩૭)

હઝરત અલી (રદિ.) નાં દિલમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મોહબ્બત

જે રાત્રે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મદીના મુનવ્વરહની તરફ હિજરત કરવાનો ઈરાદો ફરમાવ્યો, કુફ્ફારે મક્કાએ આપનાં ઘરને ઘેરી લીઘુ આપની હત્યા કરવા માટે.

રવાનગીથી પેહલા નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત અલી (રદિ.) ને હુકમ આપ્યો કે તેવણ આપનાં ઘરમાં રાત પસાર કરે, જેથી કે કુફ્ફાર એમ સમજે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) હજી સુઘી અંદરજ છે અને તેઓને એહસાસ પણ ન થાય કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નિકળી ચૂક્યા છે.

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત અલી (રદિ.) ને ખબર આપી હતી કે અલ્લાહ તઆલા કાફિરોથી તેમની સુરક્ષા ફરમાવશે.

તે સમયે મોટો ખતરો હોવા છતા હઝરત અલી (રદિ.) આનંદથી નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં હુકમને દિલથી કબૂલ કર્યુ અને આપનાં હુકમ પર અમલ કર્યો.

એવી રીત હઝરત અલી (રદિ.) આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મુબારક જાન બચાવવા માટે પોતાની જાન કુરબાન કરવા માટે તય્યાર થયા.

આ સિલસિલામાં હઝરત અલી (રદિ.) નાં નિમ્નલિખિત કાવ્યપંક્તિઓ નો અધ્યયન ફરમાવોઃ

وقيت بنفسي خير من وطئ الثرى ٭٭٭ ومن طاف بالبيت العتيق وبالحجر

મેં તે માણસની જાનની હિફાઝત માટે પોતાની જાનને પેશ કરી, જેવણ રૂએ જમીન પર કદમ મુકવા વાળાઓમાં અને ખાનએ કઅબા અને હજરે અસ્વદનો તવાફ કરવા વાળાઓમાં સૌથી બેહતર છે.

رسول إلٰه خاف أن يمكروا به ٭٭٭ فنجاه ذو الطول الإلٰه من المكر

તે માણસ અલ્લાહનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) છે. તેવણે દુશ્મનોની સાઝિશનો ખૌફ મહસૂસ કર્યો, તો અલ્લાહ તઆલા એ જેવણ મોટા ફઝલ વાળા છે તેમને દુશ્મનોની સાઝિશથી બચાવ્યા.

وبات رسول الله في الغار آمنا ٭٭٭ موقى وفي حفظ الإلٰه وفي ستر

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) અમન અને હિફાઝતની સાથે ગારમાં રાત પસાર કરી અને ખુદાની ગૈબી હિફાઝત અને પરદામાં રહ્યા.

وبتّ أراعيهم وما يتهمونني ٭٭٭ وقد وطنت نفسي على القتل والأسر

અને મેં તેમને (કાફિરોંને) જોતા જોતા રાત પસાર કરી, જ્યારે કે તેમને આ વાતનો ગુમાન પણ ન હતો કે હું (નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં ઘરમાં) છું અને હકીકત આ છે કે મેં પોતાને તય્યાર કરી લીઘો હતો કતલ થવા અને કૈદ કરી દેવા માટે. (શર્હુઝ ઝુરકાની, જિલ્દ નં- ૨, પેજ નં- ૯૬)

Check Also

હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ

ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી …