હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમની મોહબ્બત પોતાની ઝાતથી પણ વધારે

حدثني أبو عقيل زهرة بن معبد أنه سمع جده عبد الله بن هشام قال: كنا مع النبي صلى الله عليه وسلم وهو آخذ بيد عمر بن الخطاب فقال له عمر: يا رسول الله! لأنت أحب إلي من كل شيء إلا من نفسي فقال النبي صلى الله عليه وسلم: لا والذي نفسي بيده حتى أكون أحب إليك من نفسك فقال له عمر: فإنه الآن والله لأنت أحب إلي من نفسي فقال النبي صلى الله عليه وسلم: الآن يا عمر (صحيح البخاري، الرقم: ٦٦۳۲)

એક વખત હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂએ હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમને કહ્યુઃ હે અલ્લાહ ના રસૂલ ! મને પોતાની ઝાત ના વગર દરેક વસ્તુ ના મુકાબલામાં આપથી વધારે મોહબ્બત છે. આપ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે ફરમાવ્યું: ના, તે ઝાતની કસમ જેના કબઝામાં મારી જાન છે (તમારૂ ઈમાન તે સમય સુઘી સંપૂર્ણ નહી થશે.) જ્યાં સુઘી કે હું તમારી નજદીક તમારી ઝાતથી પણ વધારે મહબૂબ ન થઈ જાઉં. હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂએ ફરમાવ્યું: અલ્લાહ તઆલાની કસમ ! હવે મને આપથી પોતાની ઝાતથી પણ વધારે મોહબ્બત છે. નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે ફરમાવ્યું: હે ઉમર હવે તમારું ઈમાન મુકમ્મલ થઈ ગયુ.

હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂ ની ખુશી

એક વખત હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂ એ (હઝરત અબ્બાસ રદ઼િય અલ્લાહુ અન્હૂ નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ ના ચાચા) ને કહ્યું:

મને મારા વાલિદ ના ઈસ્લામ કબૂલ કરવા ના મુકાબલામાં તમારા ઈસ્લામ કબૂલ કરવાથી વધારે ખુશી થઈ, કારણકે આપ (સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ) ને તમારા ઈસ્લામ લાવવાથી વધારે ખુશી થઈ મારા વાલિદ ના ઈસ્લામ લાવવા ના મુકાબલામાં. (શર્હ મઆનિયુલ આષાર, ૩/૩૨૧)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

દુરૂદ શરીફ પઢવા માટે મખસૂસ (નિશ્ચિત) સમયની તાયીન (નિયુક્તિ)

عن محمد بن يحيى بن حبان عن أبيه عن جده رضي الله عنه أن رجلا قال يا رسول الله صلى الله عليه وسلم أجعل ثلث صلاتي عليك قال نعم إن شئت قال الثلثين...