નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું સલામ કરવા વાળાને જવાબ આપવુ

عن أبي هريرة أن رسول الله صلى الله عليه وسلم قال: ما من أحد يسلم علي إلا رد الله علي روحي حتى أرد عليه السلام (سنن أبي داود، الرقم:۲٠٤۱، وسنده جيد كما قال العراقي في المغني عن حمل الأسفار في الأسفار صـ ۳٦۷) رواه أحمد في رواية عبد الله كذا في المغني للموفق وأخرجه أبو داود بدون لفظ عند قبري لكن رواه في باب زيارة القبور بعد أبواب المدينة من كتاب الحج (فضائلِ حج صـ ۱۸۹)

હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે કે “જે માણસ પણ મારી કબરની પાસે આવીને મારા પર સલામ પઢે, તો અલ્લાહ તઆલા મારી રૂહ મારી સુઘી પહોંચાડી દે છે. હું તેના સલામનો જવાબ આપુ છું.”

ઈબ્ને હજર (રહ.) શર્રહે મનાસિકમાં લખે છે કે મારી રૂહ મારા સુઘી પહોંચાડવાનો મતલબ આ છે કે બોલવાની કુવ્વત અતા ફરમાવી દે છે. કાઝી ઈયાઝ (રહ.)  ફરમાવ્યુ છે કે હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની રૂહ મુબારક અલ્લાહ તઆલાની સામે હાજર રેહતી હોય છે અને જ્યારે કોઈ સલામ કરે છે, તો તે સલામની તરફ ઘ્યાન કેંન્દ્રિત કરીને જવાબ આપે છે.

મોટા ભાગનાં આલિમો જેવી રીતે કે હાફિઝ ઈબ્ને હજર (રહ.) અને અલ્લામા ઝરકાની (રહ.) ની રાય આ છે કે રૂહ પરત કરવાનો મતલબ આ નથી કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો જીસ્મ મુબારક રૂહનાં વગર હતુ અને હવે રૂહ પરત કરવામાં આવી છે, કારણકે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની રૂહ આપનાં જીસ્મ મુબરકમાં વફાત બાદજ પરત કરી દેવામાં આવી હતી. તેથી આ હદીષનો મકસૂદ આ છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સલામનો જવાબ આપે છે.

હઝરત અબુ બકર સિદ્દીક (રદી.)નો તીવ્ર પ્રેમ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં માટે

ગઝવએ બદરમાં હઝરત અબુ બકર સિદ્દીક (રદિ.) નો છોકરો હઝરત અબ્દુર્રહમાન (રદિ.) કુફ્ફારની તરફથી લડી રહ્યો હતો, કારણકે તેવણે તે સમય સુઘી ઈસ્લામ કબૂલ નહી કર્યુ હતુ.

ત્યાર પછી તેવણે ઈસ્લામ કબૂલ કર્યુ. ઈસ્લામ કબૂલ કરવા બાદ એક દિવસે પોતાનાં વાલિદ માજીદ હઝરત અબુ બકર સિદ્દીક (રદિ.) ની સાથે બેસેલા હતા. વાત-ચીતનાં દરમિયાન તેવણે કહ્યુઃ મારા અબ્બા જાન ! ગઝવએ બદરમાં ઘણી વખત તમો મારી તલવારનાં નિશાના પર આવી ગયા હતા, પણ મેં પોતાની તલવાર રોકી લીઘી હતી, કારણકે મેં આ વાતનો ખ્યાલ રાખ્યો હતો કે આપ મારા વાલિદ છો.

હઝરત અબુ બકર સિદ્દીક (રદિ.) તરતજ ફરમાવ્યુઃ અગર તુ મારી તલવારનાં નિશાનાં પર આવી જતે, તો હું તને નહી છોડતે, કારણકે તુ અલ્લાહનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી લડાઈ કરી રહ્યો હતો. (તારીખુલ ખુલફા)

મખસૂસ ખાવાનું મળવુ

હઝરત શાહ વલિય્યુલ્લાહ(રહ.) પોતાની પુસ્તિકા(રિસાલો) હિરઝે ષમીનમાં મુકાશફા નંબર-૧૯ પર લખે છે કે મને મારા વાલિદે ઈરશાદ ફરમાવ્યુ કેઃ

તેવણ રમઝાનુલ મુબારક માં સફર કરી રહ્યા હતા, ઘણીજ સખત ગરમી હતી જેનાં કારણે ઘણી મશક્કત(તકલીફ) ઉઠાવવી પડી. તેવીજ હાલતમાં મને ઊંઘ આવી ગઈ, તો નબીએ કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સપનાં માં ઝિયારત(દર્શન) થઈ. હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઘણોજ લઝીઝ ખાવાનું જેમાં ચાવલ અને મીઠુ અને જાફરાન અને ઘી ઘણું બઘુ હતુ(અતિશય લઝીઝ ઝરદો) અર્પણ ફરમાવ્યો જેને પેટ ભરીને ખાઘુ. પછી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પાણી આપ્યુ જેને ઘરાયને પીધુ જેનાંથી ભૂખ-તરસ બઘી જતી રહી અને જ્યારે આંખ ખુલી, તો મારાં હાથોમાંથી જાફરાન ની ખુશ્બૂ આવી રહી હતી.

નોટઃ- હઝરત શાહ વલિય્યુલ્લાહ(રહ.) નાં વાલિદ માજીદ અને તેમનાં ઘરવાળા નબીએ કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં સાચા આશિક અને વધારે પ્રમાણમાં દુરૂદ પઢવા વાળા. (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૯૧)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...