દુરૂદ ન પઢવાનાં કારણે કયામતનાં દિવસે અફસોસનું કારણ

عن أبي سعيد الخدري عن النبي صلى الله عليه وسلم قال: لا يجلس قوم مجلسا لا يصلون فيه على رسول الله صلى الله عليه وسلم إلا كان عليهم حسرة وإن دخلوا الجنة لما يرون من الثواب (شعب الإيمان، الرقم: ۱٤۷٠، وهو حديث صحيح كما في القول البديع صـ ۳۱۷)

હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે લોકો કોઈ મજલિસમાં બેસે અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ) પર દુરૂદ ન પઢે અને ઉઠી જાય, તો તેઓને કયામતનાં દિવસ હસરત થશે ભલે તેઓ જન્નતમાં કેમ દાખલ ન થઈ જાય(પોતાનાં આમાલનાં કારણે) તે સવાબનાં કારણે જેને તે જોઈ લેશે” (એટલે અગર તે પોતાનાં બીજા આમાલનાં કારણે જન્નતમાં દાખલ થઈ પણ જાય તો પણ તેઓને દુરૂદ શરીફનો સવાબ જોઈને તેની હસરત (અફસોસ) થશે કે અમે તે મજલિસમાં દુરૂદ કેમ ન પઢ્યુ હતુ). (શોઅબુલ ઈમાન)

હઝરત શિબ્લી (રહ.) નો વિશેષ દુરૂદ

અલ્લામા સખાવી (રહ.) અબુ બકર બિન મોહમ્મદથી નકલ કરે છે કેઃ

હું હઝરત અબુ બકર બિન મુજાહિદ (રહ.) ની પાસે હતો કે એટલામાં શૈખુલ મશાઈખ હઝરત શિબ્લી (રહ.) આવ્યા. તેમને જોઈને અબુબકર બિન મુજાહિદ (રહ) ઊભા થઈ ગયા, તેમને ગળે મળ્યા, તેમની પેશાનીને ચૂમ્યુ. મેં તેમને પૂછ્યુ કે મારાં સરદાર તમો શિબ્લીની સાથે આવો વ્યવ્હાર કરો છે, અગર જોવામાં આવે તો તમો અને બઘા બગદાદનાં ઉલમા ખ્યાલ કરો છો કે આ પાગલ છે. તેવણે ફરમાવ્યુ કે મેં તેજ કર્યુ જે હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને કરતા જોયું. પછી તેવણે પોતાનો સપનું બતાવ્યુ કે મને હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સપનાં માં ઝિયારત થઈ કે હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં શિબ્લી હાજર થયા, હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઊભા થઈ ગયા અને એમની પેશાની ને ચૂમ્યુ અને મારી વારંવાર જીદ કરવા પર હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે આ વ્યક્તિ દરેક નમાઝ બાદ નીચે આપેલી આયતે શરીફા પઢે છે અને ત્યાર બાદ મારા પર દુરૂદ પઢે છે.

આયતે શરીફા આ છેઃ

لَقَدۡ جَآءَکُمۡ رَسُوۡلٌ مِّنۡ اَنۡفُسِکُمۡ عَزِیۡزٌ عَلَیۡہِ مَا عَنِتُّمۡ حَرِیۡصٌ عَلَیۡکُمۡ بِالۡمُؤۡمِنِیۡنَ رَءُوۡفٌ رَّحِیۡمٌ ﴿۱۲۸﴾

ખરેખર, તમારી પાસે તમારામાંનો રસૂલ આવ્યો છે, તેમના ઉપર ભારે છે જે તમને તકલીફ પહોંચે, તમારી ભલાઈની લાલસા રાખે છે, ઈમાનવાળાઓ ઉપર ખૂબ માયાળુ મહેરબાન છે.

ત્યાર બાદ નીચે આપેલ દુરૂદ પઢતો હતોઃ

صَلّٰى اللهُ عَلَيْكَ يَا مُحَمَّد صَلّٰى اللهُ عَلَيْكَ يَا مُحَمَّد صَلّٰى اللهُ عَلَيْكَ يَا مُحَمَّد

અબુ બકર કહે છે કે આ સપનાં બાદ જ્યારે શિબ્લી આવ્યા, તો મેં તેમને પૂછ્યુ કે નમાઝ બાદ કયુ દુરૂદ પઢો છો, તો તેવણે આજ દુરદ બતાવ્યુ. (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૭૬)

હઝરત ઉમ્મે સુલૈમ(રદિ.) અને રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો મુબારક પસીનો

હઝરત અબૂ સુલૈમ(રદિ.)(જે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં માટે મહરમ હતી) ફરમાવે છે કે એક મરતબા રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અમારા ઘરે તશરીફ લાવ્યા અને કયલુલા(બપોરનાં સુવાને) ફરમાવ્યુ. કયલુલા નાં દરમિયાન રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં બદન મુબારક થી પસીનો નિકળવા લાગ્યો. હઝરત ઉમ્મે સુલૈમ(રદિ.) ફરમાવે છે કે હું રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક પસીનાને એક શીશી માં ભરી લીઘુ. જ્યારે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) બેદાર થયા (જાગી ગયા). તો આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત ઉમ્મે સુલૈમ(રદિ.) થી દરયાફ્ત કર્યુ કે તમે શું કરી રહ્યા હતા? તેવણે જવાબ આપ્યો કે હું આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો મુબારક પસીનો શીશીમાં ભરી રહી હતી. કેમકે એનાથી બેહતર કોઈ ખુશ્બુ નથી. રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાનો પસીનો ખુશ્બુનાં તોર પર ઈસ્તેમાલ કરવાની એમને ઈજાઝત આપી અને તેનાં પર નકીર ન ફરમાવી.(મુસ્લિમ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...