જીવનના દરેક પાસામાં મુબારક સુન્નતની ઈત્તેબાઆ ‎કરવાનો પ્રયાસ કરો

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“શમાઈલ (હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનાં મુબારક જીવનનાં તરીકાવો એટલે રેહણી કરણી, કપડા પહેરવા અને ખાવા પીવાવગૈરહ ) નો ખૂબ મુતાલો (વાંચન) રાખો. જે વસ્તુઓ પર અમલ ‎ન થઈ શકે તો ઓછામાં ઓછુ તેને દિલથી સારૂ સમજો કે હોવુ તો ‎આજ જોઈએ. પણ આપણે પોતાની નબળાઈ અને અસહિષ્ણુતા નાં ‎કારણે એવુ નથી કરી શકતા.‎

મારા ચાચા (હઝરત મૌલાના મહમંદ ઈલ્યાસ સાહબ (રહ.)) પણ ‎મને ઈત્તેબાએ સુન્નતની નસીહત ફરમાવી હતી અને એ કે પોતાનાં ‎દોસ્તોને પણ તેની તાકીદ કરતા રેહજો.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૩૩)

Source: https://ihyaauddeen.co.za/?p=6144


 

Check Also

મદ્રસાના માલમાં એહતિયાત

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે હઝરત …