હઝરત જિબ્રીલ અલૈહિસ્સલામ અને રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ ‎વ-સલ્લમની બદ-દુઆ

عن كعب بن عجرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: احضروا المنبر فحضرنا فلما ارتقى درجة ‏قال: آمين فلما ارتقى الدرجة الثانية قال: آمين فلما ارتقى الدرجة الثالثة قال: آمين فلما نزل قلنا: يا ‏رسول الله لقد سمعنا منك اليوم شيئا ما كنا نسمعه قال: إن جبريل عليه الصلاة والسلام عرض لي فقال: ‏بعدا لمن أدرك رمضان فلم يغفر له قلت: آمين فلما رقيت الثانية قال: بعدا لمن ذكرت عنده فلم يصل ‏عليك قلت: آمين فلما رقيت الثالثة قال: بعدا لمن أدرك أبواه الكبر عنده أو أحدهما فلم يدخلاه الجنة ‏قلت: آمين (المستدرك على الصحيحين للحاكم، الرقم: ۷۲۵٦، وقال: هذا حديث صحيح الإسناد ولم ‏يخرجاه وأقره الذهبي)‏

હઝરત ક’અ્બ બિન ‘ઉજ્રહ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે એક વખત રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: “મિમ્બર પાસે આવી જાવો” તો અમે લોકો નજીક પહોંચી ગયા, પછી આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે પેહલી સીડી પર કદમ મુક્યો અને ફરમાવ્યું: “આમીન”. પછી બીજી સીડી પર કદમ મુક્યો અને ફરમાવ્યું: “આમીન”. પછી ત્રીજી સીડી પર કદમ મુક્યો અને ફરમાવ્યું: “આમીન”. જ્યારે આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ ખુત્બો પૂરો કરીને નીચે આવ્યા, તો અમે અરજ કર્યુ, હે અલ્લાહના રસૂલ! (સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ) આજે અમે આપથી એવી વાત સાંભળી જે ક્યારેય પણ આપથી સાંભળી ન હતી, તો આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું કે “હઝરત જીબ્રીલ ‘ઐલહિસ્સલામ આવ્યા હતા (જ્યારે મેં પેહલી સીડી પર કદમ મુક્યો, તો તેમણે કહ્યું) હલાક થઈ જાય તે વ્યક્તિ જેને રમઝાનુલ-મુબારક નો મહીનો મળ્યો તો પણ તેની મગ્ફિરત ન થઈ (એટલે તેણે તે મહીનાનો હક અદા ન કર્યો), તો મેં કહ્યું: “આમીન”. પછી જ્યારે મેં બીજી સીડી પર કદમ મૂક્યો, તો તેમણે કહ્યું: હલાક થઈ જાય તે વ્યક્તિ, જેની સામે આપ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ)નું નામ લેવામાં આવે અને આપ પર દુરૂદ ન મોકલે, તો મેં કહ્યું: “આમીન”. પછી જ્યારે મેં ત્રીજી સીડી પર કદમ મુક્યો, તો તેમણે કહ્યું: હલાક થઈ જાય તે વ્યક્તિ, જેના માં-બાપ અથવા બન્નેવમાંથી કોઈ એક ઘડપણની ઉંમરે પહોંચી જાય અને (માં-બાપની ખિદમત ન કરવાનાં કારણે) તેઓ તેને જન્નતમાં દાખલ ન કરાવે, તો મેં કહ્યું: “આમીન”.

મુહદ્દિસના કહેવા પર દુરૂદ-શરીફ પઢવુ

નુઝ્હતુલ-મજાલિસનાં લેખક, એક બુઝુર્ગનો વાકિઓ નકલ કરે છે કે તેમણે ફરમાવ્યું: મારો એક પડોશી હતો, જે ઘણોજ ગુનેહગાર હતો. હું હંમેશા તેને તૌબા કરવાની તર્ગિબ આપતો હતો. પરંતુ તે માનતો ન હતો.

જ્યારે તેનો ઈન્તેકાલ થઈ ગયો, તો મેં તેને જન્નતમાં જોયો.

મેં તેને પૂછ્યુ કે તુ જન્નતમાં કેવી રીતે પહોંચ્યો?

તો તેણે જવાબ આપ્યો:

“હું એક વખત એક મુહદ્દિસની મજલિસમાં હતો. તેમણે ફરમાવ્યું: જે બુલંદ અવાજથી દુરૂદ-શરીફ પઢશે, તેને જન્નત મળશે, તો મેં અને મજલિસના બીજા લોકોએ પણ ઉંચા અવાજે દુરૂદ-શરીફ પઢ્યુ. જેની બરકતથી અલ્લાહ તઆલાએ અમારા ગુનાહોને માફ ફરમાવ્યા અને અલ્લાહ તઆલાએ અમને જન્નતમાં દાખલ કરી દીઘા.” (નુઝ્હતુલ-મજાલિસ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: https://ihyaauddeen.co.za/?p=6463

Check Also

ઉમ્મતનુ દુરૂદ નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને પહોંચે છે

પોતાનાં ઘરોને કબરસ્તાન ન બનાવો (ઘરોને નેક આમાલઃ નમાઝ, તિલાવત અને ઝિકર વગૈરહથી આબાદ રાખો. તેને કબરસ્તાનની જેમ ન બનાવો જ્યાં નેક આમાલ નથી હોતા) અને મારી કબરને જશન મનાવવાની જગ્યા ન બનાવો અને મારા પર દુરૂદ મોકલો, કારણકે તમારુ દુરૂદ અને મારી પાસે (ફરિશ્તાઓનાં દ્વારા) પહોંચે છે, ભલે તમે ગમે ત્યાં હોય...