
عن قتادة رحمه الله قال: قال رسول الله صلى الله عليه وسلم: من الجفاء أن أذكر عند رجل فلا يصلي علي (الإعلام بفضل الصلاة على النبي صلى الله عليه وسلم للنميري، الرقم: ۲٠۹، ورواته ثقات كما في القول البديع صـ ۳۱۱)
હઝરત કતાદહ રહ઼િમહુલ્લાહ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું કે આ બે-વફાઈ અને ના-શુક્રી ની વાત છે કે કોઈ વ્યક્તિની સામે મારું નામ લેવામાં આવે અને તે મારા ઉપર દુરૂદ ન મોકલે.
મુલ્લા જામી રહ઼િમહુલ્લાહ નો વાકિઓ
મૌલાના જામી રહ઼િમહુલ્લાહ આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ની મુબારક શાનમાં એક નાતે-પાક લખી.
ત્યાર પછી એક વખત હજ માટે તશરીફ લઈ ગયા, તો તેમનો ઈરાદો આ હતો કે રૌઝા-એ-અકદસની પાસે ઊભા થઈને આ નઝમ (કવિતા) પઢે.
જ્યારે હજ પછી મદીના-મુનવ્વરાની હાજરીનો ઈરાદો કર્યો તો મક્કાના અમીર (હાકિમ) ને ખ્વાબમાં હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ ની ઝિયારત નસીબ થઈ. હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે ખ્વાબમાં એમને આ ઈર્શાદ ફરમાવ્યું કે “તેને (એટલે મૌલાના જામી ને) મદીનામાં આવવા થી રોકો.” મક્કાના અમીરે પ્રતિબંધ લગાવી દીધો. પણ તેમના પર જઝબો અને શૌક (જુનૂન) એટલો બઘો ગાલિબ હતો કે તેઓ છુપાઈને મદીના-મુનવ્વરાની તરફ ચાલી નિકળ્યા.
મક્કાના અમીરે ફરીથી ખ્વાબમાં જોયું. હુઝૂર સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ફરમાવ્યું “તે આવી રહ્યો છે તેને અહિંયા ન આવવા દો.”
અમીરે માણસો દોડાવ્યા અને તેને રસ્તેથી પકડીને બોલાવ્યા, તેમના પર સખતી કરી અને જેલખાનામાં નાંખી દીઘા.
ત્યાર પછી અમીરને ત્રીજીવાર હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમની ઝિયારત નસીબ થઈ. હુઝૂર સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું “આ કોઈ મુજરીમ નથી, પણ તેણે કેટલીક શેર-શાયરી લખી છે જેને અહિંયા આવીને મારી કબર પર ઊભો થઈને પઢવાનો ઈરાદો કરી રહ્યો છે, જો આમ થયુ તો કબરથી મુસાફહા (મુલાકાત) માટે હાથ નિકળશે જેમા ફિતનો થશે.”
ત્યાર પછી તેમને જેલથી છોડી દેવા માં આવ્યા અને તેમનું ખૂબ જ ઇજ્જત અને ઇકરામ કરવામાં આવ્યું. (ફઝાઈલે-દુરૂદ, પેજ નં-૧૯૭)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી