દીલને દરેક સમયે પાક રાખવુ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“હું તો તેનો ખાસ પ્રબંઘ રાખુ છું કે કલ્બ (હૃદય,દિલ) નકામી વાતોથી ખાલી રહે કારણકે ફકીરે તો વાસણ ખાલી રાખવુ જોઈએ. શું ખબર ક્યારે કોઈ સખીની નજરે ઈનાયત(કૃપાળુ નજર) પડી જાય. એવીજ રીતે કલ્બ (હૃદય,દિલ) ને ખાલી રાખવાની જરૂરત છે. શું ખબર કયા સમયે અલ્લાહ તઆલાની રહમતવાળી નજર પડી જાય.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૨, પેજ નં-૨૪૪)

Source: https://ihyaauddeen.co.za/?p=7759


 

Check Also

એક મોમિનની જિંદગી પર નમાઝનો મોટો અસર

હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું: “અમારા નજદીક ઇસ્લાહ (સુધાર) ની …