માં-બાપનાં ઈન્તેકાલ પછી તેમની સેવાભાવનો તરીકો

શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“જે કોઈએ પોતાનાં માં-બાપનાં જીવનમાં તેમની સેવા તથા આજ્ઞાનું પાલન ન કર્યુ હોય, પાછળથી તેમના ઈન્તેકાલ પછી તેની તલાફી(પ્રાયશ્ર્વિત્ત) ની શકલ પણ હદીષ થી સાબિત છે. તે આ કે તેવો વ્યક્તી પોતાના માં-બાપનાં માટે મગફિરત ની દુઆ તથા ઈસાલે ષવાબ(મર્હુમને સવાબ પહોંચાડે) અને એમને મળવા વાળાઓ ની સાથે સારો વ્યવ્હાર કરે જેનાંથી તેનો પછી આજ્ઞાકારીઓ માં સમાવેશ થઈ જાય છે.” (મલફૂઝાતે શૈખુલ હદીષ (રહ.), પેજ નં-૩૯)

Source: https://ihyaauddeen.co.za/?p=6586


 

Check Also

તમામ તકલીફો ઘટાડવાની તદબીર

એક સાહબે ઘરેલું બાબત અંગે અર્ઝ કર્યું કે એનાથી હઝરત (હઝરત મૌલાના અશરફ અલી થાનવી …