عن أبي بن كعب رضي الله عنه قال: قلت: يا رسول الله إني أكثر الصلاة عليك فكم أجعل لك من صلاتي؟ فقال: ما شئت قال: قلت: الربع قال: ما شئت فإن زدت فهو خير لك قلت: النصف قال: ما شئت فإن زدت فهو خير لك قال: قلت: فالثلثين قال: ما شئت فإن زدت فهو خير لك قلت: أجعل لك صلاتي كلها قال: إذا تكفى همك ويغفر لك ذنبك (سنن الترمذي الرقم 2457: وقال هذا حديث حسن)
હઝરત ઉબય બિન કઅબ રદ઼િયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ થી કહ્યું, હે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ! હું તમારા ઉપર ખૂબજ દુરૂદ-શરીફ મોકલવા માંગું છું, તેથી હું મારી દુઆનો કેટલો સમય આપ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર દુરૂદ મોકલવા માટે ખાસ કરૂં? આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું, તમે જેટલુ ચાહો ખાસ કરો, મેં કહ્યું, ચોથાઈ! આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું, જેટલુ ચાહો કરો, અને જો તમે વધારે કરશો, તો તે તમારા માટે બેહતર રહેશે. મેં કહ્યું, અડધો સમય! આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું, જેટલુ ચાહો કરો, અને જો તમે વધારે કરશો, તો તે તમારા માટે બેહતર રહેશે. મેં કહ્યું, બે તૃત્યાંશ ટાઈમ! આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું, જેટલુ ચાહો કરો, અને જો તમે વધારે કરશો, તો તે તમારા માટે બેહતર રહેશે, મેં કહ્યું, હું પૂરી દુઆનો સમય તમારા ઉપર દુરૂદ માટે ખાસ કરી દઉં. આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું, ત્યારે તો તમારા બઘા ગમો અને ફિકરોની કિફાયત કરવામાં આવશે. ( એટલે કે અલ્લાહ ત’આલા તમારા દરેક ગમો અને ફિકરોને દૂર કરશે) અને તમારા ગુનાહોને માફ કરી દેવામાં આવશે.
નોટઃ- ઉપરોક્ત હદીષના મફહૂમ (સમજૂતી) ની તાઈદ નિચે પ્રમાણેની હદીષે કુદસીથી થાય છે:
من شغله ذكري عن مسالتي أعطيته أفضل ما أعطي السائلين
જે માણસ મારા ઝિક્રમાં મશગુલ હોવાનાં કારણે મને સવાલ ન કરી શક્યો, હું(અલ્લાહ તઆલા)તેને સવાલ કરવાવાળાથી બેહતર વસ્તુ આપીશ.
હઝરત બિલાલ રદિ અલ્લાહુ અન્હુ નો અંતિમ સમય
હઝરત બિલાલ રદી અલ્લાહુ અન્હુ નો જ્યારે વફાતનો સમય કરીબ હતો ત્યારે એમની બીવી (પત્ની) કેહ રહી હતી, હાય અફસોસ! તમે જઈ રહ્યા છો અને તેવણ(હઝરત બિલાલ રદિ અલ્લાહુ અન્હુ) કહી રહ્યા હતા, “કેટલી સારી મઝાની વાત છે, કેટલી લુત્ફની વાત છે કાલે દોસ્તોથી મળશું, હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ થી મુલાકાત કરશું. એમનાં સાથીયોને મળશું.
બખીલ કોણ છે?
“શરફુ-લ્-મુસ્તફા” નામની કિતાબમાં આવ્યું છે કે એક વખત સહેરીના સમયે હઝરત આઇશા રદ઼િયલ્લાહુ અન્હા કોઈ વસ્તુની સિલાઈ કરી રહી હતી.
સિલાઈ કરતી વખતે તેમની સોઇ ગુમ થઈ ગઈ અને લેમ્પ (દિવો) બૂઝાઈ ગયો.
એ જ સમયે હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ રૂમમાં તશરીફ લાવ્યા, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની હાજરીથી આખો ઓરડો રોશન થઈ ગયો।
હઝરત આઇશા રદ઼િયલ્લાહુ અન્હા એ કહ્યું કે મેં એ જ રોશનીમાં મારી ગૂમ થયેલી સોઇ શોધી કાઢી।
પછી મેં કહ્યું: “યા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)! આપનો મુબારક ચહેરો કેટલો નૂરવાળો છે!”
હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ: “હલાકત છે તે વ્યક્તિ માટે જે કયામતના દિવસે મને ન જોઈ શકશે!”
હઝરત આઇશા રદ઼િયલ્લાહુ અન્હા: “યા રસૂલુલ્લાહ ﷺ! એ વ્યક્તિ કોણ છે જે કયામતના દિવસે આપને ન જોઈ શકશે?”
હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ): “બખીલ!”
હઝરત આઇશા રદ઼િયલ્લાહુ અન્હા: “બખીલ કોણ છે?”
હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) ફરમાવ્યું: “બખીલ એ છે જે મારું નામ સાંભળે અને મારી ઉપર દુરૂદ ન મોકલે!” (અલ-કૌલુ-લ્-બદી’, પૃષ્ઠ 313, ફઝાઈલે-દુરૂદ, પૃષ્ઠ 125)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Source: http://ihyaauddeen.co.za/?p=5717 , http://ihyaauddeen.co.za/?p=7518