عن أنس رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: إن لله سيارة من الملائكة يطلبون حلق الذكر فإذا أتوا عليهم حفوا بهم ثم بعثوا رائدهم إلى السماء إلى رب العزة تبارك وتعالى فيقولون ربنا أتينا على عباد من عبادك يعظمون آلاءك ويتلون كتابك ويصلون على نبيك صلى الله عليه وسلم ويسئلونك لآخرتهم وديناهم فيقول تبارك وتعالى: غشوهم رحمتي فيقولون يا رب إن فيهم فلانا الخطاء إنما اغتبقهم اغتباقا فيقول تبارك وتعالى: غشوهم رحمتي فهم الجلساء لا يشقى بهم جليسهم (مسند البزار، الرقم: 6494 وسنده حسن كما في القول البديع صـ 267)
હઝરત અનસ (રદ઼િયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું કે બેશક અલ્લાહ તઆલાના અમુક ફરિશ્તા છે, જે ઝિક્રની મજલિસોને શોધવામાં ફરતા રહે છે અને જ્યારે તેઓ તેમની પાસે (ઝિક્ર કરવા વાળાની મજલિસોમાં) પહોંચે છે તો તેઓને ઢાંકી લે છે. પછી તે પોતાના લીડરને અલ્લાહ તઆલાની બારગાહમાં આસમાનની તરફ મોકલે છે. તે ફરિશ્તાઓ અલ્લાહ તઆલા ને અર્ઝ કરે છે, હે અમારા રબ! અમે તમારા એવા બંદાઓની પાસે પહોંચ્યા છે જેઓ તમારી ને’અમતોંની બડાઈ બયાન કરતા છે (ઘણી વધારે કદર કરે છે), તમારી કિતાબની તિલાવત કરે છે, તમારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર દુરૂદ મોકલે છે અને તમારાથી દુન્યા અને આખિરતની ભલાઈની ભીખ માંગે છે. તો અલ્લાહ તઆલા તેમનાથી ફરમાવે છે, તેઓને મારી રહમતથી ધાંકી લો. ફરિશ્તાઓ કહે છે, હે પરવરદિગાર! તેઓના વચ્ચે ફલાણો ગુનેહગાર પણ છે. તે આ મજલિસમાં હમણાંજ પહોંચ્યો છે. અલ્લાહ તઆલા ફરિશ્તાઓને ફરમાવે છે, બધાને મારી રહમતથી ધાંકી લો. એટલા માટે કે તેઓ એવા લોકો છે જેમના હમ-નશીં (સાથે બેસવા વાળા) મારી રહમત થી મહરૂમ રહી શકતા નથી.”
વધારે પ્રમાણમાં દુરૂદ પઢવું
અબૂ સુલૈમાન મુહમંદ બિન હુસૈન હિર્રાની (રહ.) કહે છે કે અમારા પડોસમાં એક સાહબ હતા કે જેમનું નામ ફઝલ હતુ, કસરત ની સાથે (ઘણા વધારે પ્રમાણમાં) નમાઝ અને રોઝા માં વ્યસ્ત રેહતા હતા.
તેવણે બયાન કર્યુ કે હું હદીષ લખ્યા કરતો હતો, પણ તેમાં દુરૂદ શરીફ લખતો ન હતો. તેવણ કહે છે કે મેં હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમમ ને સપનામાં જોયા. હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે જ્યારે તમે મારૂ નામ લખો છો અથવા લેવો છો તો દુરૂદ શરીફ કેમ નથી પઢતા (ત્યાર પછી તેવણે દુરૂદ નો એહતેમામ (પાંબદી) શરૂ કરી દીઘો).
તેનાં થોડા દિવસો પછી હુઝૂર અકદસ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની સપનામાં ઝિયારત કરી. હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે તારૂ દુરૂદ મારા સુઘી પહોંચી રહ્યુ છે. જ્યારે મારૂ નામ લિયા કરો તો “સલ્લલ્લાહુ અલયહિ વસલ્લલમ કહ્યા કરો. (ફઝાઈલે દુરૂદ, પેજ નઃ ૧૬૨)
ખ્વાબમાં હઝરત મુહ઼મ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)ની ઝિયારત માટે દુરૂદ-શરીફ
અલ્લામા સખાવી (રહ઼િમહુલ્લાહ) લખે છે:
જે કોઈ ખ્વાબમાં હઝરત મુહ઼મ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને જોવા માંગે, તેણે નીચે મુજબ દુરુદ પઢવુ જોઈએ:
اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ كَمَا أَمَرْتَنَا أَن نُّصَلِّيَ عَلَيه اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ كَمَا هُوَ أَهْلُه، اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ كَمَا تُحِبُّ وَتَرْضَى لَه
હે અલ્લાહ! મુહ઼મ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર દુરૂદ મોકલો જેમ તમે અમને તેમના પર દુરૂદ મોકલવાનો હુકમ આપ્યો છે. હે અલ્લાહ! મુહ઼મ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર તે દુરૂદ મોકલો જે દુરૂદના તેઓ લાયક છે (એટલે કે, જેમ તેમના મકામને યોગ્ય છે). હે અલ્લાહ! મુહ઼મ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર દુરૂદ મોકલો જેમ તમે ચાહો છો અને જેનાથી તમે ખુશ છો.
જે કોઈ આ દુરુદ-શરીફને એકી સંખ્યા પ્રમાણે પઢશે, તે હુઝૂરે-અકદસ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની ખ્વાબમાં ઝિયારત કરશે, અને તેમાં આ પણ ઉમેરવું જોઈએ:
اَللّٰهُمَّ صَلِّ عَلٰى رُوحِ مُحَمَّدٍ فِي الْأَرْوَاحِ اَللّٰهُمَّ صَلِّ عَلٰى جَسَدِ مُحَمَّدٍ فِي الأَجْسَادِ اَللّٰهُمَّ صَلِّ عَلٰى قَبْرِ مُحَمَّدٍ فِي الْقُبُور
એ અલ્લાહ! તમામ રૂહોમાંથી હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની રૂહ પર ખાસ દુરૂદ મોકલો. એ અલ્લાહ! તમામ જિસ્મોમાંથી હઝરત મુહ઼મ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ના જીસ્મ પર ખાસ દુરૂદ મોકલો. એ અલ્લાહ! તમામ કબરોમાંથી હઝરત મુહ઼મ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની કબર પર ખાસ દુરૂદ મોકલો.
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Source: http://whatisislam.co.za/index.php/durood/item/619-enveloped-in-the-mercy-of-allah , http://ihyaauddeen.co.za/?p=5313