عن عمر بن الخطاب رضي الله عنه قال: إن الدعاء موقوف بين السماء والأرض لا يصعد منه شيء حتى تصلي على نبيك صلى الله عليه وسلم (سنن الترمذي، الرقم: 486)
હઝરત ઉમર બિન ખત્તાબ (રદ઼િયલ્લાહુ અન્હુ) ફરમાવે છે કે દુઆ (ની કબુલિયત) આસમાન અને જમીન દરમિયાન અટકી રહે છે, તે ઉપર નથી જતી જ્યાં સુઘી કે તમે પોતાના નબી (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર દુરૂદ મોકલો.
હઝરત ઈમામ માલિક (રહ.) નું રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં પડોશિયોને પ્રાથમિકતા આપવુ
હઝરત ઈમામ માલિક (રહ.) હદીષ શરીફનાં વિદ્યાર્થીઓ અને મદીના મુનવ્વરહનાં રેહવાસિઓને બીજા લોકોથી પેહલા પઢાવતા હતા.
કોઈએ હઝરત ઈમામ માલિક (રહ.) ને તેનું કારણ પૂછ્યુ, તો આપે ફરમાવ્યુઃ આ લોકો હઝરત નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં પડોશી છે. (તરતીબુલ મદારિક, ૧૩/૨)
હૌઝે-કૌસર માંથી ભરપૂર પ્યાલો પીવો
હઝરત હસન બસરી (રહ઼િમહુલ્લાહ) એ ફરમાવ્યું:
જે માણસ હુઝૂરે-અકદસ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ના હૌઝમાંથી ભરપૂર પ્યાલો પીવા માંગે, તે આ દુરુદ પઢા કરે:
اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَعَلٰى آلِهِ وَأَصْحَابِهِ وَأَوْلَادِهِ وَأَزْوَاجِهِ وَذُرِّيَّتِهِ وَأَهْلِ بَيْتِهِ وَأَصْهَارِهِ وَأَنْصَارِهِ وَأَشْيَاعِهِ وَمُحِبِّيْهِ وَأُمَّتِهِ وَعَلَيْنَا مَعَهُمْ أَجْمَعِيْنَ يَا أَرْحَمَ الرَّاحِمِيْنَ
હે અલ્લાહ! દુરૂદ (ખાસ રહમત) મોકલો મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર, તેમના અહલો-અયાલ પર, તેમના સહાબા-એ-કિરામ પર, તેમની ઔલાદ પર, તેમની પાકીઝા બીવીઓ પર, તેમના બાળકો પર, તેમના ઘરની લોકો પર, તેમના સુસરાલી રિશ્તેદારો પર, તેમના મદદગારો (અન્સારો) પર, તેમની પૈરવી કરને વાલો પર, તેમના સાથે મુહબ્બત કરવા વાળાઓ પર, તેમની ઉમ્મત પર અને તેમની સાથે અમારા બધા પર, હે સૌથી વધારે રહમ કરવા વાળા!
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Source: http://ihyaauddeen.co.za/?p=5696, http://ihyaauddeen.co.za/?p=7666