عن عبد الله بن مسعود رضي الله عنه قال: إذا أراد أحدكم أن يسأل فليبدأ بالمدحة والثناء على الله بما هو أهله ثم ليصل على النبي صلى الله عليه وسلم ثم ليسأل بعد فإنه أجدر أن ينجح (المعجم الكبير للطبراني، الرقم: 8780، ورجاله رجال الصحيح إلا أن أبا عبيدة لم يسمع من أبيه كما في مجمع الزوائد، الرقم: 17255)
હઝરત અબ્દુલ્લાહ બિન મસ’ઉદ રદ઼િય અલ્લાહુ અન્હૂએ ફરમાવ્યુ કે જ્યારે તમારામાંથી કોઈ અલ્લાહ તઆલાથી દુઆ કરવા માંગે, તો સૌથી પેહલા તે અલ્લાહ તઆલાની એમની શાનના લાયક હમ્દો-સના (તારીફ અને પ્રશંસા) કરે. પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ પર દુરૂદ મોકલે. ત્યાર પછી દુઆ કરે. કારણકે (આ રીતે દુઆ કરવામાં) કબૂલ થવાના વધારે ચાન્સ છે. (કારણકે તે દુઆ ના આદાબ ને ધ્યાન માં રાખીને દુઆ કરી રહ્યો છે.)
દુરૂદની વિપુલતાનાં કારણે જન્નતમાં દાખલો
એક સાહબે અબુ હફ્સ કાગઝી(રહ.)ને તેમનાં મૃત્યુ પછી સપનાંમાં જોયા. એમને પુછ્યુ કે શું મામલો થયો? એમણે કહ્યુ કે અલ્લાહ તઆલાએ મારા પર રહમ(કૃપા કરી) ફરમાવ્યો,મારી મગફીરત ફરમાવી(ક્ષમા કરી દીધો)ને જન્નતમાં દાખલ કરવાનો હુકમ આપી દીઘો. તેમણે કહ્યુ આ કેવી રીતે થયુ? એમણે કહ્યુ કે જ્યારે મારી હાજરી થઈ તો ફરિશ્તાઓને હુકમ આપવામાં આવ્યો. તેઓએ મારાં ગુનાહ અને મારા દુરૂદ શરીફ ને ગણ્યા તો મારા દુરૂદ શરીફ ગુનાહોથી વઘી ગયા તો મારાં અલ્લાહ તઆલાએ ઈરશાદ ફરમાવ્યુ કે “હે ફરિશ્તાઓ બસ બસ અગાડી હિસાબ ન કરશો અને તેને મારી જન્નતમાં લઈ જાવો.”(ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૫૭)
હઝરત અબૂ-બક્ર સિદ્દીક (રદિ.) નું નબી-એ-કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને દુધ આપવુ
હઝરત અબૂ-બક્ર સિદ્દીક (રદિ.) રસૂલે-કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની સાથે કરેલ હિજરતના સફરનો વાકિઓ (ઘટના) બયાન ફરમાવે છે કે
અમે આખી રાત ચાલતા રહ્યા અને બીજા દિવસે સવારે સવારના પણ, અહિંયા સુઘી કે બરાબર બપોરનો સમય થઈ ગયો અને રસ્તાઓ ખાલી થઈ ગયા, કોઈ તેમાં ચાલવા વાળુ દેખાતુ ન હતુ.
મેં આજુ-બાજુ જોયુ કે કોઈ છાંયાવાળી જગ્યા મળી જાય, જેથી અમે ત્યાં આરામ કરી શકીએ. તો અમને એક ગ઼ાર (ગુફા) દેખાઈ પડી, જ્યાં અમે સુર્ય પ્રકાશની ગરમીથી બચવા માટે આશરો (પનાહ) લઈ શકતા હતા.
મેં કહ્યુઃ હે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)! તમે બાહર પ્રતિક્ષા કરો, હું ગાર (ગુફા) ની અંદર જાવું છું, એટલા માટે કે જો કોઈ તકલીફ આપનાર જીવ અંદર હોય, તો તે મને તકલીફ પહોંચાડે, તમને તકલીફ ન પહોંચાડે.
પછી હું ગાર (ગુફા)માં દાખલ થયો અને ગાર (ગુફા) ને સાફ કરીને જમીન પર એક કપડુ બિછાવ્યું, જેથી આપ(સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) તેના પર સૂઈ શકે. પછી નબી-એ-કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ગાર (ગુફા) માં દાખલ થયા અને સુઈ ગયા.
અને હું પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે બાહર નિકળ્યો, તો મને એક ભરવાડ નજર આવ્યો, જેની પાસે કેટલીક બકરીઓ હતી. મેં તેને પુછ્યું કે તારો માલિક કોણ છે? તેણે મને મક્કા-મુકર્રમાના એક વ્યક્તિનું નામ બતાવ્યું, જેનાંથી હું પરિચિત હતો (ત્યારે તે વખતમાં રિવાજ હતો કે જાનવરોના માલિકો મુસાફિરો અને રાહગીરો (પસાર થતા લોકો) ના માટે પોતના જાનવરોનું દુઘ પીવાની ઈજાઝત આપતા હતા, એટલા માટે હઝરત અબૂ-બક્ર સિદ્દિક (રદિ.) ભરવાડથી દૂધ માંગ્યું.
હઝરત અબૂ-બક્ર સિદ્દીક રદિઅલ્લાહુ અન્હુ ફરમાવે છે:
મૈં ગોવાળિયા થી સવાલ કર્યો કે શું તમારી બકરીઓ માં દુઘ છે?
તેણે કહ્યુઃ હાં.
મેં કહ્યુઃ શું તમે મારા માટે દુઘ કાઢી શકો?
તેણે કહ્યુઃ હાં.
ત્યાર બાદ તેણે એક વાસણમાં એક બકરીનું દુઘ કાઢ્યુ અને મારા પ્યાલામાં નાંખી દીઘુ. મેં તે પ્યાલામાં થોડુ પાણી ભેળવ્યું, જેથી કે તે દુઘ ઠંડુ થઈ જાય અને તેને લઈને નબી-એ-કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની ખિદમતમાં હાજર થયો. જ્યારે હું આપની પાસે પહોંચ્યો તો તેઓ જાગી ગયા હતા. મેં અરજ કર્યુઃ હે અલ્લાહના રસૂલ! દુઘ પી લિયો. હઝરત અબૂ-બક્ર સિદ્દીક (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) દુઘ પીઘુ, જેનાથી મને ઘણી ખુશી થઈ. (બુખારી-શરીફ, મુસ્લિમ-શરીફ)
આ ઘટના પરથી હઝરત અબૂ-બક્ર સિદ્દીક રદિઅલ્લાહુ અન્હુનો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ થી તે બેપનાહ મોહબ્બત દેખાઈ આવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને દૂધનો સ્વાદ ચાખતા જોઈને તેમના દિલ ને ઘણી ખુશી થઈ; જ્યારે તે પોતે દૂધ પીતા ન હતા અને તેનો આનંદ માણી રહ્યા ન હતા.
આ મોહબ્બત માની મોહબ્બત જેવી છે કારણ કે જ્યારે મા તેના બાળકને ખાતા અને આનંદ લેતા જુએ છે, ત્યારે તે દૃશ્ય તેના દિલ ને ખુશ કરી દે છે.
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Source: http://whatisislam.co.za/index.php/history/seerah/seeratul-mustafaa/item/481 , http://ihyaauddeen.co.za/?p=6230