
હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એક મૌકા પર ફરમાવ્યું હતું:
ઉમ્મતની ખિદમત અને તેમના દીનની હિફાઝતની ફિકર કરવી જોઈએ. પોતાની શોહરતમાં શું રાખ્યું છે?
શોહરત બાબતે તો માણસનો મિજાજ (રુચિ) એવો હોવો જોઈએ કે, ન તો જીવતા કોઈને ખબર હોય કે આ દુનિયામાં ફલાણો માણસ પણ રહે છે અથવા ફલાણા માણસે આ કામ કર્યું છે; ન તો મર્યા પછી કોઈની જીભ પર એનું નામ આવે કે તે કોણ હતો, કોણ મરી ગયો અને શું કામ કરી ગયો.
(મલફૂઝાતે-હકીમુલ-ઉમ્મત, ભાગ ૧૦, પાના નં. ૧૯)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી