દેવું ચૂકવવામાં આસાની માટે એક ટિપ

શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝ઼કરિય્યા રહ઼િમહુલ્લાહે એક વાર ઇર્શાદ ફરમાવ્યું:

એક વાત કહું છું, ભલે તમે તેને મારી નસીહત સમજો, વસિયત સમજો કે અનુભવ.

તે આ કે, જો કોઈ પાસેથી કર્ઝ (ઉછીના) લો, તો તેને ચૂકવવાની નિય્યત ખાલિસ રાખો (કે જરૂર અદા કરવા), અને પછી ટાઇમ પર તરતજ ચૂકવી દો (ભલે બીજે ક્યાંકથી પૈસા ઉછીના લઈને જ દેવુ પડે પણ ટાઇમ પર આપી દો).

નિય્યત ખાલિસ રાખશો તો અલ્લાહ તરફથી ખૂબ મદદ મળશે. (મલફુઝાતે શૈખ, પેજ નં- ૨૩)

Check Also

ફેમસ થવાની બીમારી

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એક મૌકા પર ફરમાવ્યું હતું: ઉમ્મતની ખિદમત અને …