દેવું ચૂકવવામાં આસાની માટે એક ટિપ

શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝ઼કરિય્યા રહ઼િમહુલ્લાહે એક વાર ઇર્શાદ ફરમાવ્યું:

એક વાત કહું છું, ભલે તમે તેને મારી નસીહત સમજો, વસિયત સમજો કે અનુભવ.

તે આ કે, જો કોઈ પાસેથી કર્ઝ (ઉછીના) લો, તો તેને ચૂકવવાની નિય્યત ખાલિસ રાખો (કે જરૂર અદા કરવા), અને પછી ટાઇમ પર તરતજ ચૂકવી દો (ભલે બીજે ક્યાંકથી પૈસા ઉછીના લઈને જ દેવુ પડે પણ ટાઇમ પર આપી દો).

નિય્યત ખાલિસ રાખશો તો અલ્લાહ તરફથી ખૂબ મદદ મળશે. (મલફુઝાતે શૈખ, પેજ નં- ૨૩)

Check Also

એક મોમિનની જિંદગી પર નમાઝનો મોટો અસર

હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું: “અમારા નજદીક ઇસ્લાહ (સુધાર) ની …