હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નો બુલંદ મકામ

قال سعيد بن جبير رحمه الله: كان مقام أبي بكر وعمر وعثمان وعليّ وسعد وسعيد وطلحة والزّبير وعبد الرّحمن بن عوف رضي الله عنهم مع النّبي صلّى اللَّه عليه وسلم واحدًا، كانوا أمامه في القتال (يدافعون عنه صلى الله عليه وسلم ويحفظونه)، وخلفه (مباشرة) في الصلاة (أي: في الصف المتقدم) (الإصابة ٣/٨٧)

હઝરત સઈદ બિન-જુબૈર (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઉલ્લેખ કર્યો હતો કે “નબી-એ-અકરમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) સાથે હઝરત અબૂ-બક્ર, હઝરત ઉમર, હઝરત ઉસ્માન, હઝરત અલી, હઝરત સઈદ (બિન-અબી વક્કાસ), હઝરત સઈદ (બિન-ઝૈદ), હઝરત તલ્હા, હઝરત ઝ઼ુબૈર અને હઝરત અબ્દુર્રહ઼્માન બિન-ઔફ રદ઼િયલ્લાહુ અન્હુમ બધાની ઊભા રહેવાની જગ્યા એક હતી. આ લોકો જિહાદમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સામે રહેતા હતા (તેઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનો બચાવ અને હિફાજત કરતા હતા), અને નમાઝમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની (બિલ્કુલ) પાછળ રહેતા હતા. (એટલે ​​કે, પહેલી સફમાં).”

હઝરત અબ્દુલ્લાહ બિન-ઉમર (રદ઼િયલ્લાહુ અન્હુ) ની નજરમાં હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નો બુલંદ મકામ

એકવાર, હઝરત અબ્દુલ્લાહ બિન-ઉમર (રદ઼િયલ્લાહુ અન્હુ) જુમાની નમાઝ માટે ઘરેથી નીકળવાના હતા ત્યારે તેમને ખબર પડી કે તેમના કાકા, હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ગંભીર રીતે બીમાર છે અને મોતની નજીક છે.

આ વાત તેમને ત્યારે માલૂમ પડી જ્યારે તેઓ પહેલાથી જ તેમના બદન પર અત્તર લગાવી ચૂક્યા હતા અને જુમાની નમાજ઼ માટે ઘરેથી નીકળી જ રહ્યા હતા.

પરંતુ આ સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુની વાત સાંભળીને, તેઓ તરત જ તેમની સવારી પર સવાર થઈ ગયા અને જુમાની નમાઝ માટે જવાને બદલે મકામે-અકીક તરફ રવાના થયા જ્યાં હઝરત સઈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) રહેતા હતા.

મકામે-અકીક શહેરથી દૂર હતું, જ્યાંના રહેવાસીઓ માટે જુમાની નમાઝ ફર્જ઼ નહોતી; કારણ કે જુમાની નમાઝ ફર્જ઼ થવા માટે જે શર્તો છે નાની બસ્તી હોવાને કારણે તે શર્તો પૂરી થતી ન હતી.

હઝરત અબ્દુલ્લાહ બિન-ઉમર (રદ઼િયલ્લાહુ અન્હુ) મકામે-અકીક ગયા અને હઝરત સઈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ને ગુસલ દેવામાં મદદ કરી, પછી તેમને કફન પહેરાવ્યું અને જનાજ઼ાની નમાજ઼માં ભાગ લીધો.

Check Also

​હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુનો તવાઝુ

​જ્યારે લોકો હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ પાસે આવતા અને તેમની ખૂબીઓના વખાણ કરતા તેમજ અલ્લાહ …