મસ્જિદના કામ

હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઇર્શાદ ફરમાવ્યું:

મસ્જિદો, મસ્જિદે-નબવી (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની બેટીઓ છે, તેથી, હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની મસ્જિદમાં જે કામો થતા હતા બધા મસ્જિદોમાં થવા જોઈએ.

નમાઝ ઉપરાંત, હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની મસ્જિદમાં તાલીમ અને તર્બિયત પણ આપવામાં આવતી હતી, અને દીનની દાવતને લગતા બધા કામો પણ મસ્જિદમાંથી જ કરવામાં આવતા હતા. તબ્લીગ અને તાલીમ માટે રવાના પણ મસ્જિદમાંથી જ કરવામાં આવતા હતા; ‘અસાકિરની તૈયારી પણ મસ્જિદમાંથી જ કરવામાં આવતી હતી.

અમે ઈચ્છીએ છીએ કે આ બધા કામો આપણી મસ્જિદોમાં પણ એ જ રીતે કરવામાં આવે. (મલ્ફુઝાત હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ રહ઼િમહુલ્લાહ, પેજ ૧૩૨)

Check Also

આખોય આધાર હક ત’આલાની નજરમાં સારા હોવા પર છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એક વાર ઈર્શાદ ફરમાવ્યું (કહ્યું): માણસ ભલે ગમે …