جاء سيدنا سعيد بن زيد رضي الله عنه مرة إلى النبي صلى الله عليه وسلم فقال: يا رسول الله إن (أبي) زيدا كان كما رأيت أو كما بلغك (أنه كان يعبد الله لا يشرك به شيئا وإن لم يدرك زمن البعثة)، فأستغفر له؟ قال: نعم، فاستغفر له، فإنه يبعث يوم القيامة أمة وحده (أي يبعث وعنده من الخير والفضل ما يكون عند أمة) (المعجم الكبير، الرقم: ٣٥٢)
એકવાર, હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)પાસે આવ્યા અને કહ્યું:
હે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)! ઝૈદ (મારા વાલિદ-સાહેબ), જેમ કે તમે (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) તેમને જાણતા જ છો, (એક અલ્લાહને જ ઈશ્વર માનતા હતા અને અલ્લાહની સાથે ઈશ્વરીમાં બીજા કોઈને જોઈન્ટ કરતા ન હતા; પરંતુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ નબી હોવાનો દાવો કરે તે પહેલા તેમનો ઇન્તિકાલ થઈ ગયો હતો). તો હું તેમના માટે અલ્લાહ તઆલાથી મગ઼્ફિરત તલબ કરી શકું.
અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) ફરમાવ્યું: હા, તમે તેમના માટે ઇસ્તિગ઼્ફાર કરી શકો છો, કારણ કે તેઓ કયામતના દિવસે એક પૂરી ઉમ્મતની ભલાઈ સાથે આવશે.