હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ થી રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમની રજામંદી

حدّد سيدنا عمر رضي الله عنه قبل موته ستة من الصحابة الكرام رضي الله عنهم وأمرهم باختيار الخليفة من بينهم، وكان منهم سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه.

قال سيدنا عمر رضي الله عنه عنهم: ما أجد أحدا أحق بهذا الأمر من هؤلاء النفر الذين توفي رسول الله صلى الله عليه وسلم وهو عنهم راض، فسمى عليا، وعثمان، والزبير، وطلحة، وسعدا، وعبد الرحمن (صحيح البخاري، الرقم: ٣٧٠٠)

હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુએ તેમની વફાત પહેલા છ સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુનું એક જમાઅત બનાવી હતી અને તેઓને તેમાંથી આગામી ખલીફા પસંદ કરવાનો હુકમ આપ્યો હતો. અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ પણ તે જમાઅતમાં હતા.

હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુએ એમ પણ ફરમાવ્યું હતું કે હું આ છ સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમથી વધુ કોઈને ખિલાફત માટે લાયક નથી માનતો; કારણ કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ આ દુનિયામાંથી એવી હાલતમાં વિદાય થયા કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ તેમનાથી ખૂબ જ ખુશ અને રાજી હતા.

દીનની ખાતર ખર્ચ કરવા છતાં, હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રઝ઼િયલ્લાહુ અન્હુ)ના દિલમાં હિસાબનો ડર

હઝરત શો’બા (રહ઼િમહુલ્લાહ) કહે છે:

એકવાર અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રઝ઼િયલ્લાહુ અન્હુ)નો રોઝો હતો; તેથી, ઇફ્તારના સમયે, તેમને સામે ખાવાનું મુકવામાં આવ્યું.

ઇફતારી જોઈને, હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રઝ઼િયલ્લાહુ અન્હુ) એ ફરમાવ્યું:

હમઝા (રઝ઼િયલ્લાહુ અન્હુ) શહીદ થયા અને અમને તેમના માટે પૂરતું કફન ન મળ્યું હતુ; અને તે મારા કરતા સારા હતા.

મુસ્’અબ બિન ઉમૈર (રઝ઼િયલ્લાહુ અન્હુ) શહીદ થયા અને અમને તેમના માટે પૂરતું કફન ન મળ્યું હતુ; અને તે મારા કરતા સારા હતા.

બીજી બાજુ, આપણને અઢળક માલ-દૌલતથી નવાજવામાં આવ્યા છે. મને ડર છે કે એવુ ન થાય કે આ દુનિયામાં જ (આ માલ-દૌલત દ્વારા) આપણને આપણા સારા કામોનો બદલો આપી દેવામાં આવે.

તે પછી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રઝ઼િયલ્લાહુ અન્હુ) ખાધા વગર ઉભા થઈ ગયા.

ઇમામ ઝહરી (રહ઼િમહુલ્લાહ) ફરમાવે છે:

એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના સમયમાં હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રઝ઼િયલ્લાહુ અન્હુ)એ અલ્લાહ તઆલાની ખુશી માટે પોતાની અડધો
માલ ખર્ચી નાખ્યો.

તે સમયે તેમનો અડધો માલ ચાર હજાર દિરમ હતો.
(દિરમ = ચાંદીનો સિક્કો)

થોડા સમય પછી, તેમણે ચાલીસ હજાર દિરમ, ફી-સબિલિલ્લાહ ખર્ચી નાંખ્યા.

અન્ય એક પ્રસંગે, ફી-સબીલિલ્લાહ તેમણે ચાલીસ હજાર દીનાર ખર્ચ્યા.

(દીનાર = સોના નો સિક્કો)

એ જ રીતે, એકવાર, તેમણે અલ્લાહના રસ્તામાં લડનાર મુજાહિદોને સવારી માટે પાંચસો ઘોડા આપ્યા. તે પછી, વધુ એક હજાર પાંચસો સવારીવાળા જાનવર અલ્લાહના માર્ગમાં ઉપયોગ કરવા માટે આપવામાં આવ્યા.

Check Also

હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ માટે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમની દુઆ

خاطب رسول الله صلى الله عليه وسلم الأزواج المطهرات مرة فقال: إن الذي يحنو عليكن …