સવાલ: જો તવાફ કરતી વખતે વ્યક્તિનું વુઝૂ તૂટી જાય તો તેણે શું કરવું જોઈએ?
જવાબ: જો તવાફ દરમિયાન કોઈ વ્યક્તિનું વુઝૂ તૂટી જાય તો તેણે તરત જ ફરીથી વુઝૂ કરવું જોઈએ અને ફરીથી તવાફ શરૂ કરવો જોઈએ.
જો તે ઈચ્છે તો તે જ જગ્યાએથી ફરી તવાફ શરૂ કરી શકે છે જ્યાં તેનું વુઝૂ તૂટી ગયું હતું.
(હવાઈજે-અસલિય્યાહ =અસલ જરૂરતો)
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.