તમામ તકલીફો ઘટાડવાની તદબીર

એક સાહબે ઘરેલું બાબત અંગે અર્ઝ કર્યું કે એનાથી હઝરત (હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહ)ને તકલીફ થઈ હશે.

હઝરત વાલા (હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહ) એ ફરમાવ્યું:

ના સાહબ! મને કોઈ તકલીફ નથી થઈ, અલ્લાહ તઆલાનો લાખ લાખ શુકર છે કે તેણે મને એક એવી વસ્તુ આપેલી છે જેના કારણે મને કોઈ એવી વાતથી તકલીફ નથી થતી.

જ્યાં આ વિચાર્યુ કે આમાં સવાબ મળશે, બસ ત્યાં બધી તકલીફ ઓગળી જાય છે પછી કંઇ તકલીફ નથી રહેતી. (મલફુઝાતે-હકીમુલ-ઉમ્મત, ભાગ: ૧૦, પૃષ્ઠ ક્રમાંક: ૨૮૦)

Check Also

મુસલમાન ની સહી સોચ

હઝરત મૌલાના ઇલ્યાસ સાહિબ રહ઼િમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: અપની તહી-દસ્તી કા યકીન (અપને ના-અહલ …