તમામ તકલીફો ઘટાડવાની તદબીર

એક સાહબે ઘરેલું બાબત અંગે અર્ઝ કર્યું કે એનાથી હઝરત (હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહ)ને તકલીફ થઈ હશે.

હઝરત વાલા (હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહ) એ ફરમાવ્યું:

ના સાહબ! મને કોઈ તકલીફ નથી થઈ, અલ્લાહ તઆલાનો લાખ લાખ શુકર છે કે તેણે મને એક એવી વસ્તુ આપેલી છે જેના કારણે મને કોઈ એવી વાતથી તકલીફ નથી થતી.

જ્યાં આ વિચાર્યુ કે આમાં સવાબ મળશે, બસ ત્યાં બધી તકલીફ ઓગળી જાય છે પછી કંઇ તકલીફ નથી રહેતી. (મલફુઝાતે-હકીમુલ-ઉમ્મત, ભાગ: ૧૦, પૃષ્ઠ ક્રમાંક: ૨૮૦)

Check Also

આખોય આધાર હક ત’આલાની નજરમાં સારા હોવા પર છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એક વાર ઈર્શાદ ફરમાવ્યું (કહ્યું): માણસ ભલે ગમે …