મસ્જિદમાં પ્રવેશ કરતી વખતે અને બહાર નીકળતી વખતે દુરુદનો પાઠ કરવો

عن أبي حميد أو أبي أسيد الأنصاري رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إذا دخل أحدكم المسجد فليسلم على النبي صلى الله عليه وسلم ثم ليقل اللهم افتح لي أبواب رحمتك فإذا خرج فليقل اللهم إني أسألك من فضلك (سنن أبي داود، الرقم: 465، وسكت عليه هو والمنذري في مختصره، الرقم: 465)

હઝરત અબુ ઈમરાન વાસિતી (રહ.) નો વાકિયો

અબુ ઈમરાન વાસિતી (રહ.) ફરમાવે છે કે

હું મક્કા મુકર્રમાથી હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની કબરે અતહરની ઝિયારતનાં ઈરાદાથી ચાલ્યો. જ્યારે હું હરમથી બાહર નિકળ્યો મને મને એટલી સખત તરસ લાગી કે હું પોતાનાં જીવનથી માયૂસ થઈ ગયો. હું પોતાની જાનથી નાઉમ્મીદ થઈને એક બાવળનાં ઝાડનાં નીચે બેસી ગયો.

અચાનક એક ઘોડ સવાર લીલા ઘોડા પર સવાર થઈને મારી પાસે પહોંચ્યો. તે ઘોડાની લગામ પણ લીલી હતી, ઝીન પણ લીલી હતી અને ઘોડ સવારનો પોશાક પણ લીલો હતો. તેનાં હાથમાં લીલા રંગનો ગ્લાસ હતો જેમાં લીલાજ રંગનો શરબત હતો. તે તેવણે મને પીવા માટે આપ્યો મેં ત્રણ વખત પીઘો, પણ તે ગ્લાસ માંથી કંઈ પણ ઓછુ ન થયુ પછી તેવણે મને કહ્યુ કે “તુ ક્યાં જઈ રહ્યો છે.” મેં કહ્યુ કે “મદીના તય્યીબા હાજરીનો ઈરાદો છે, જેથી કરીને કે હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં સલામ કરૂં અને હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં બન્નેવ સાથિયોંને સલામ કરૂં.”

તેવણે કહ્યુ કે “જ્યારે તુ મદીના પહોંચી જાય અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની અને હઝરાતે શૈખૈન (રદિ.) ની ખિદમતમાં સલામ કરી ચૂકે તો આ અરજ કરી દેજો કે રિઝવાન તમો ત્રણેવ હઝરાતની ખિદમતમાં સલામ અરજ કરતા હતા.” રિઝવાન તે ફરિશ્તાનું નામ છે જે જન્નતનાં દરબાન (નાઝિમ) છે. (ફઝાઈલે દુરૂદ, પેજ નં- ૧૩૦)

‎يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ‎

Check Also

દુરૂદ શરીફ પઢવાની બરકતથી જરૂરતોનું પુરૂ થવુ

“જે વ્યક્તિ મારી કબરની પાસે ઊભો રહીને મારા પર દુરૂદ પઢે છે હું તેને પોતે સાંભળુ છું અને જે બીજી કોઈ જગ્યાએ દુરૂદ પઢે છે તો તેની દુનિયા અને આખિરતની જરૂરતો પૂરી કરવામાં આવે છે અને હું કયામતનાં દિવસે તેનો ગવાહ અને તેનો સિફારિશી થઈશ”...