જોવા જેવી વસ્તુ દિલ છે

હઝરત મૌલાના અશરફ ‘અલી થાનવી રહિમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું:

લોકો આ’માલને જુએ છે; પરંતુ જોવાની વસ્તુ છે દિલ કે તેના દિલમાં અલ્લાહ અને રસુલ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ) ની મોહબ્બત અને ‘અઝમત (આદર,સમ્માન) કેટલો છે.

ગામડિયા છે, ગંવાર લોકો છે; પરંતુ તેઓના દિલોમાં અલ્લાહ અને રસૂલ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ) ની મોહબ્બત અને ‘અઝમત દાબી દાબી ને ભરેલી છે અને વધારે જરૂરત આ જ વસ્તુની છે કે દિલમાં દીનની ઈજ્જત, કદર અને ‘અઝમત હોય. (માલફુઝાતે હકીમુલ ઉમ્મત. ભાગ નં. ૭, પેજ નં. ૨૧૮)

Check Also

આખોય આધાર હક ત’આલાની નજરમાં સારા હોવા પર છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એક વાર ઈર્શાદ ફરમાવ્યું (કહ્યું): માણસ ભલે ગમે …