નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૧

રાતની વારી અને કરૂણા તથા દિલદારીમાં બરાબરી

(૧) શૌહરનાં પર વાજીબ છે કે તે પોતાની બીવીયોનાં વચ્ચે રાતની વારીમાં બરાબરી કરે. બરાબરીનો તરીકો શું થશે? આ સિલસિલામાં શરીઅતે બરાબરીનાં તરીકાને શૌહરની યુક્તી અને વિવેકબુદ્ધિ પર છોડી દીઘુ છે, પણ શૌહર આ વાતનો જરૂર ખ્યાલ રાખે કે તે રાતોની સંખ્યામાં બીવીયોનાં દરમિયાન બરાબરી કરે. [૧]

દાખલા તરીકે અગર શૌહર એક બીવીની સાથે ત્રણ રાતો પસાર કરે તો તેને જોઈએ કે તે બીજી બીવીની સાથે પણ ત્રણ રાતો પસાર કરે. અગર તેની ઈચ્છા છે કે એક બીવીની પાસે બે રાતો પસાર કરે, તો તેનાં પર જરૂરી છે કે બીજી બીવીની પાસે પણ બે રાતો પસાર કરે.

(૨) રાત ગુરૂબે શમ્સ(સુર્યનાં ડૂબવા) થી શરૂ થાય છે અને સુબ્હ સાદિકનાં સમયે ખતમ થાય છે. જ્યાંસુઘી દિવસનાં કલાકોની વાત છે, તો બેહતર આ છે કે શૌહર દિવસનાં કલાકો પણ પોતાની બીવીયોનાં દરમિયાન બરાબરી(સમાનતા) ની સાથે પસાર કરે (અગરજો તેમાં બરાબરી વાજીબ નથી). [૨]

(૩) શૌહર પર વાજીબ છે કે તે પોતાની બઘી બીવીયોનાં વૈવાહિક અધિકારોને પૂરા કરે. જેટલા રાત તે એક બીવીની પાસે પસાર કરે તેટલી રાત તે બીજી બીવીની પાસે પણ પસાર કરે, અલબત્તા શૌહર પર આ જરૂરી નથી કે તે પોતાની બીવીયોનાં દરમિયાન હમબિસ્તરી (સંભોગ) ની સંખ્યામાં બરાબરી કરે. [૩]

(૪) અગર એક બીવી પોતાની રાતની વારી છોડી દે અને શૌહરને ઈજાઝત આપે કે તે તેની રાતો બીજી બીવીની સાથે પસાર કરે તો આ જાઈઝ છે. પણ તે ફરીથી પોતાનો હક(વારી)  પાછી લેવા ચાહે, તો શરીઅતની તરફથી તેને ઈજાઝત છે કે તે પોતાની વારી પાછી લઈ શકે. [૪]

(૫) શૌહરને જોઈએ કે તે પોતાની બઘી બીવીયોંનાં દરમિયાન શફકતો હમદરદીમાં બરાબરી કરે. અલબત્તા અગર તે સ્વાભાવિક રીતે એક બીવીની તરફ વધારે માઈલ થાય અને તેનાં દિલમાં તેનાં માટે વધારે મોહબ્બત હોય તો તેનાં પર તેની પકડ નહી થશે અને તે ગુનેહગાર નહીં થશે. કારણકે આંતરિક લાગણીઓ ઈન્સાનનાં બસ અને કુદરતથી બહાર છે. પણ શૌહર પર આ જરૂરી છે કે તે દરેક બીવીયોંની સાથે શફકતો દિલદારીમાં પોતાનો વ્યવ્હાર એકજેવો રાખે. અગર તે કોઈ બીવીની સાથે વધારે હમદરદી અને દિલદારીની સાથે પેશ આવશે, તો તે ગુનેહગાર થશે.

(૬) શૌહર પર વાજીબ નથી કે તે પોતાની બીવીયોનાં દરમિયાન સફરમાં બરાબરી કરે. તેનું કારણ આ છે કે સફરનાં હાલાત ઘરનાં હાલાતથી અલગ હોય છે અને સફરમાં તે સહૂલતો હાસિલ નથી થતી જે ઘરમાં મળી જાય છે. તેથી શરીઅતે શૌહરને ઈજાઝત આપી છે કે જે બીવી સાથે તેને વધારે અનુકૂળતા અને મોહબ્બત હોય જો તે માત્ર તેની સાથે સફર કરવા ચાહે તો તે તેની સાથે સફર કરે.

આ વાત સ્પષ્ટ રહે કે સફરમાં જેટલો સમય વપરાશે શૌહર પર વાજીબ નથી કે તે તેનો હિસાબ લગાવે અને બીજી બીવી સાથે તેટલો સમય પસાર કરે. એટલે તેને વારીમાં ગણવામાં નહી આવશે અને સફરથી વાપસી પછી શૌહરનાં ઝિમ્મે વાજીબ નહી થશે કે જેટલા રાતો તેણે એક બીવી સાથે સફરમાં પસાર કરી છે તેટલો રાતો તે બીજી બીવીયોંની સાથે પણ પસાર કરે. અલબત્તા જો શૌહર સફરનાં માટે કોઈ એવો તરીકો અપનાવે જેનાંથી તેની બઘી બીવીયોં ખુશ થઈ જાય, તો આ બેહતર થશે. ઉદાહરણ તરીકે બીવીયોંનાં દરમિયાન ચિઠ્ઠી ઉછાડે અને જે બીવીનું નામ તે ચીઠ્ઠીમાં નિકળે, તેની સાથે સફર કરે. દરેક બીવી માટે પોતાની સાથે સફર માટે વારી નક્કી કરી દે, જેથીકે દરેક બીવીને તેની સાથે સફરનો મોકો મળી શકે. [૫]

 


[૧] إذا كان للرجل الحر أو المملوك امرأتان حرتان فإنه يكون عند كل واحدة منهما يوما وليلة وإن شاء أن يجعل لكل واحدة منهما ثلاثة أيام فعل لأن المستحق عليه التسوية فأما في مقدار الدور فالاختيار إليه وهذه التسوية في البيتوتة عندها للصحبة والمؤانسة لا في المجامعة لأن ذلك ينبني على النشاط ولا يقدر على اعتبار المساواة فيه (المبسوط للسرخسي ۵/۲۱۷)

[૨] (ويقيم عند كل واحدة منهن يوما وليلة) لكن إنما تلزمه التسوية في الليل حتى لو جاء للأولى بعد الغروب وللثانية بعد العشاء فقد ترك القسم

قال العلامة ابن عابدين – رحمه الله -: (قوله لكن إلخ) قال في الفتح: لا نعلم خلافا في أن العدل الواجب في البيتوتة والتأنيس في اليوم والليلة، وليس المراد أن يضبط زمان النهار، فبقدر ما عاشر فيه إحداهما يعاشر الأخرى بل ذلك في البيتوتة وأما النهار ففي الجملة اهـ يعني لو مكث عند واحدة أكثر النهار كفاه أن يمكث عند الثانية ولو أقل منه بخلافه في الليل نهر (رد المحتار ۳/۲٠۷)

[૩](قوله والصحبة) كان المناسب ذكره عقب قوله في البيتوتة لأن الصحبة أي المعاشرة والمؤانسة ثمرة البيتوتة. ففي الخانية: ومما يجب على الأزواج للنساء العدل والتسوية بينهن فيما يملكه والبيتوتة عندهما للصحبة والمؤانسة لا فيما لا يملكه وهو الحب والجماع (رد المحتار ۳/۲٠۲)

[૪] (قوله ولها أن ترجع إذا وهبت قسمها لأخرى) فأفاد جواز الهبة والرجوع أما الأول فلأن سودة بنت زمعة وهبت يومها لعائشة رضي الله عنها وأما صحة الرجوع في المستقبل فلأنها أسقطت حقا لم يجب بعد فلا يسقط (البحر الرائق ۳/۲۳٦)

[૫] (ولا حق لهن في القسم حالة السفر فيسافر الزوج بمن شاء منهن والأولى أن يقرع بينهن فيسافر بمن خرجت قرعتها) وقال الشافعي رحمه الله القرعة مستحقة لما روي أن النبي عليه الصلاة والسلام كان إذا أراد سفرا أقرع بين نسائه إلا أنا نقول إن القرعة لتطييب قلوبهن فيكون من باب الاستحباب وهذا لأنه لا حق للمرأة عند مسافرة الزوج ألا يرى أن له أن لا يستصحب واحدة منهن فكذا له أن يسافر بواحدة منهن ولا يحتسب عليه بتلك المدة (الهداية ۱/۲۱٦)

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...