નમાઝમાં દુરૂદ શરીફ

عن ابن عمر قال: كان رسول الله صلى الله عليه وسلم يعلمنا التشهد التحيات الطيبات الزاكيات لله السلام ‏عليك أيها النبي ورحمة الله وبركاته السلام علينا وعلى عباد الله الصالحين أشهد أن لا إله إلا الله وحده لا شريك ‏له وأن محمدا عبده ورسوله ثم يصلي على النبي صلى الله عليه وسلم (سنن الدارقطني، الرقم: ۱۳۳٠، وفيه ‏موسى بن عبيدة الربذي وهو ضعيف كما في القول البديع صـ ۳٦۵)

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે “રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આપણને તશહ્હુદની દુઆ (અત તહિય્યાતુત તય્યિબાતુઝ ઝાકિયાતુ લિલ્લાહ અંત સુઘી) સિખડાવતા હતા (અને ત્યારબાદ ફરમાવતા કે નમાઝમાં તશહ્હુદની દુઆ પઢવા બાદ) દુરૂદ શરીફ પઢવુ જોઈએ.”

એક અન્સારી સહાબીનું રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે પોતાનાંજ મકાનને તોડી નાંખવુ

એક વખત નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મદીના મુનવ્વરામાં કોઈ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એક ઊંચુ મકાન જોયુ, તો આપે સહાબએ કિરામ (રદિ.) સવાલ કર્યોઃ આ શું છે? તેવણે જવાબ આપ્યો કેઃ ફલાણાં અન્સારી સહાબીનુ નવુ મકાન છે. નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) આ સાંભળી ખામોશ થઈ ગયા.

પછી તે અન્સારી સહાબી નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ખિદમતમાં હાજર થયા અને સલામ કર્યો. પણ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મુબારક ચેહરો ફેરવી લીઘો. તેવણે ફરીથી સલામ કર્યુ. પણ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) કોઈ જવાબ ન આપ્યો. નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો આ વરતાવ જોઈને એવણને ફિકર થઈ કે આખિર મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે.

તો તેવણે સહાબએ કિરામ (રદિ.) થી પૂછ્યુ કે શું વાત છે? તો તેવણે જવાબ આપ્યો કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તમારા નવા મકાનની પાસેથી પસાર થઈ રહ્યા હતા અને તેનાં વિષે સવાલ કર્યો હતો. આ સાંભળી તે સહાબી તરતરજ પોતાનાં ઘરે ગયા અને તે નવા મકાનને તોડી નાંખ્યુ અને નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને ખબર પણ ન કરી કે મેં તે મકાન તોડી નાંખ્યુ છે.

થોડા દિવસો બાદ રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ફરી તે રસ્તાથી પસાર થયા અને સવાલ કર્યોઃ પેલુ મકાન ક્યાં ગયુ, જે મેં પાછલી વખતે અહીંયા જોયુ હતુ? સહાબએ કિરામ (રદિ.) જવાબ આપ્યો કે તેવણે (અન્સારી સહાબીએ) તે મકાનને તોડી નાંખ્યુ, કારણકે તેવણને એહસાસ થઈ ગયો હતો કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તેનાંથી ખુશ ન હતા, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ દરેક મકાન પોતાનાં માલિક માટે વબાલ છે, પણ જે જરૂરી છે. (સુનને અબી દાવુદ)

તે અન્સારી સહાબી (રદિ.) નાં આ અમલથી સાફ થઈ ગયુ કે તેમનાં દિલમાં નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાચી અને બેપનાહ મોહબ્બત હતી. હકીકત આ છે કે સહાબએ કિરામ (રદિ.) નાં માટે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઝર્રા બરાબર પણ નારાઝગી ના કાબિલે બરદાશ્ત હતી અને જ્યારે તેવણને મહસૂસ થતુ હતુ કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તેમનાં કોઈ અમલથી નારાઝ છે, તો તે તરતજ તે અમલ (કામ)થી પછાળી હટી જતા (રોકી દેતા) હતા.

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...