(૧) કબર પર મંટોડી નાંખતા સમયે માંથા તરફથી શરૂ કરવુ મુસ્તહબ છએ. બન્નેવ હાથોથી મંટોડી નાંખવુ એક હાથથી મંટોડી નાંખવાથી બેહતર છે. કબરને મંટોડીથી ભરવા માટે પાવડાનો ઉપયોગ પણ જાઈઝ છે.
عن أبي هريرة أن رسول الله صلى الله عليه وسلم صلى على جنازة، ثم أتى قبر الميت فحثى عليه من قبل رأسه ثلاثا
હઝરત અબુ હરૈરહ (રદિ.) થી રિવાયત છે કે “રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એક વ્યક્તિની જનાઝાની નમાઝ પઢાવી પછી તેની કબર પર આવ્યા અને તેનાં માંથીની તરફથી ત્રણ વખત તેની કબર પર મંટોડી નાંખી.”
(૨) કબર પર ત્રણ વખત મંટોડી નાંખવુ મુસ્તહબ છે.
(૩) પેહલી વાર મંટોડી નાંખતા સમયે આ પઢવુઃ
منها خلقناكم
આનાથી (મંટોડી થી) અમે તમને પૈદા કર્યા
બીજી વખત આ પઢવુઃ
وفيها نعيدكم
અને આમાંજ (મંટોડીમાં) અમે પાછા લોટાવશુ
અને ત્રીજી વખત આ પઢવુઃ
ومنها نخرجكم تارة أخرى
અને આનાંથીજ (મંટોડીથી) ફરીથી ઉઠાવશુ.
Source: http://ihyaauddeen.co.za/?p=3792