જનાઝાની નમાઝમાં મોડુ કરવુ

મોટી જમાઅતની આશામાં જનાઝાની નમાઝમાં મોડુ કરવુ મકરૂહ છે. એવીજ રીતે અગર કોઈનો જુમ્આનાં દિવસે ઈન્તિકાલ થઈ જાય, તો આ આશા કરી જુમ્આની નમાઝ બાદ વધારે લોકો જનાઝાની નમાઝમાં શરીક થશે, જનાઝાની નમાઝને વિલંબન કરાવવુ મકરૂહ છે. [૧]  અલબત્તા અગર કબર વગૈરહની તય્યારીમાં વ્યસ્ત હોવાનાં કારણે જુમ્આની નમાઝ છૂટી જવાની આશંકા હોય, તો જનાઝાની નમાઝને જુમ્આની નમાઝ પતવા સુઘી મોડુ કરવુ નાજાઈઝ છે.

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આપણને હુકમ આપ્યો છે કે આપણે મય્યિતની તદફીન(દફનવિધી) માં જલદી કરવુ અને મોડુ ન કરવુ.

عن علي بن أبي طالب رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال له يا علي ثلاث لا تؤخرها الصلاة إذا آنت والجنازة إذا حضرت والأيم إذا وجدت لها كفوا[૨]

હઝરત અલી બિન અબી તાલિબ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એમને ફરમાવ્યુઃ “હે અલી ! ત્રણ વસ્તુઓમાં મોડુ ન કરો, (૧) નમાઝમાં જ્યારે તેનો સમય થઈ જાય, (૨) જનાઝાની નમાઝમાં જ્યારે જનાઝો આવી જાય, (૩) અપરિણીત યુવતીના નિકાહ (લગ્ન) માં જ્યારે તેનાં માટે યોગ્ય જોડો મળી જાય.”

عن الحصين بن وحوح أن طلحة بن البراء مرض فأتاه النبي صلى الله عليه وسلم يعوده فقال إني لا أرى طلحة إلا قد حدث فيه الموت فآذنوني به وعجلوا فإنه لا ينبغي لجيفة مسلم أن تحبس بين ظهراني أهله[૩]

હઝરત હુસૈન બિન વહવહ (રદિ.) રિવાયત કરે છે કે જ્યારે હઝરત તલ્હા બિન બરા (રદિ.) બીમાર થયા, તો નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તેમની ઈયાદત માટે તશરીફ લઈ ગયા. આપે એમને જોઈને ફરમાવ્યુ કે “મને એવુ લાગે છે કે તલ્હાનો આ બીમારીમાં ઈન્તિકાલ થઈ જશે, તેથી જ્યારે એમનો ઈન્તિકાલ થઈ જાય, ત્યાર મને ખબર કરજો અને તેમની તદફીન (દફનવિઘી) માં જલ્કદી કરજો, એટલા માટે કે કોઈ મુસલમાનની લાશનાં માટે યોગ્ય નથી કે તેને તેનાં ઘરવાળાઓનાં દરમિયાન મોડે સુઘી રોકી રાખવામાં આવે.”

Source: http://ihyaauddeen.co.za/?p=1864


 

[૧] (والمسبوق) ببعض التكبيرات لا يكبر في الحال بل (ينتظر) تكبير (الإمام ليكبر معه) للافتتاح لما مر أن كل تكبيرة كركعة، والمسبوق لا يبدأ بما فاته وقال أبو يوسف : يكبر حين يحضر (كما لا ينتظر الحاضر) في (حال التحريمة) بل يكبر اتفاقا للتحريمة، لأنه كالمدرك ثم يكبران ما فاتهما بعد الفراغ نسقا بلا دعاء إن خشيا رفع الميت على الأعناق وما في المجتبى من أن المدرك يكبر الكل للحال شاذ نهر (فلو جاء) المسبوق (بعد تكبيرة الإمام لرابعة فاتته الصلاة) لتعذر الدخول في تكبيرة الإمام وعند أبي يوسف يدخل لبقاء التحريمة، فإذا سلم الإمام كبر ثلاثا كما في الحاضر وعليه الفتوى، ذكره الحلبي وغيره

قال العلامة ابن عابدين – رحمه الله -: (قوله: وعليه الفتوى) أي على قول أبي يوسف في مسألة المسبوق خلافا لما مشى عليه في المتن (رد المحتار ٢/٢١٧)

 انظر أيضا أحسن الفتاوى ٤/٢٠١

[૨] وإن كان مع الإمام فتغافل و لم يكبر معه أوكان في النية بعد فأخر التكبير فإنه يكبر و لا ينتظر تكبير الإمام الثانية (رد المحتار ٢/٢١٦)

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …