નિકાહની સુન્નતોં અને આદાબ – ૩

નિકાહનાં ફઝાઈલ

સૌથી મહાન દૌલત(સંપત્તિ)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે એક વખત હઝરત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત ઉમર(રદિ.) થી ફરમાવ્યુ કે શું હું તમને એ ન બતાવું કે ઈન્સાનનાં માટે દુનિયામાં સૌથી મોટી દૌલત શું છે? પછી હઝરત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે આ દુનિયામાં સૌથી મોટી દૌલત નેક બીવી (પત્ની) છે, જ્યારે તેનો ખાવિન્દ (પતી) તેને જોય, તો તે તેનાંથી ખુશ થાય છે, અને જ્યારે તેને હુકમ આપે તો તે તેની ઈતાઅત કરે(વાત માને) અને જ્યારે તે ક્યાંક જાય, તો તે તેનાં માલની અને પોતાની ઈજ્જત તથા ચરિત્રતાનો હિફાઝત(રક્ષા) કરે છે. [૧]

દુનિયાની સૌથી મહાન દૌલત

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈરશાદ ફરમાવે છે કે “દુનિયા સંપત્તિ અને ફાયદો ઉઠાવવાને યોગ્ય વસ્તુઓથી ભરેલી છે અને આ દુનિયાની બઘી વસ્તુઓમાં સૌથી શ્રેષ્ઠ દૌલત “નેક બીવી(પત્ની)” છે.[૨]

સુન્નત પર અમલ

હઝરત આંઈશા (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “નિકાહ મારી સુન્નતમાંથી છે, તેથી જો મારી સુન્નતથી એઅરાઝ કરે (યોગ્ય કારણનાં વગર) તે મારાથી નથી.”[૩]

ગુનાંહોથી હિફાઝત

હઝરત આંઈશા (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “નિકાહ મારી સુન્નતમાંથી છે, તેથી જો મારી સુન્નતથી એઅરાઝ કરે (યોગ્ય કારણનાં વગર) તે મારાથી નથી.” [૪]

ઈમાનની તકમીલ

હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “ હે નવયુવાનો ની જમાઅત ! તમારામાંથી જે નિકાહની ક્ષમતા રાખતો હોય, તેને જોઈએ કે નિકાહ કરી લે, કારણકે બેશક નિકાહ નિગાહ નીચી રાખવા(નિગાહની હિફાઝત) અને શર્મગાહોની હિફાઝતનો ઝરીઓ છે.” [૫]


[૧] سنن أبي داود، الرقم: ۱٦٦٤، وسكت عليه المنذري في مختصر سنن أبي داود، الرقم: ۱٦٦٤

[૨] صحيح مسلم، الرقم: ۳٦۳٤

[૩] سنن ابن ماجه، الرقم: ۱۸٤٦، وقال البوصيري في مصباح الزجاجة ۲/۹٤: هذا إسناد ضعيف لضعف عيسى بن ميمون المديني لكن له شاهد صحيح وله شاهد في الصحيحين وغيرهما من حديث عبد الله بن مسعود ورواه البزار في مسنده من حديث أنس

[૪] صحيح البخاري، الرقم: ۵٠٦٦

[૫]  شعب الإيمان، الرقم: ۵۱٠٠، الحاكم في المستدرك بلفظ آخر، الرقم: ۲٦۸۱،  وقال الذهبي في التلخيص: صحيح

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...