નાબાલિગ(અપરિપક્વ)બાળક ની જનાઝાની નમાઝ જેનાં વાલિદૈનમાંથી કોઈ એક મુસલમાન હોય અને એક કાફિર હોય

અગર નાબાલિગ (અપરિપક્વ) બાળક જો અક઼લો શુઉર (ડહાપણ અને ચેતન)ની ઉમરે નહીં પહોંચ્યુ હોય મરી જાય અને તેનાં વાલિદૈનમાંથી  એક મુસલમાન હોય અને બીજા કાફિર હોય, તો તે બાળકને મુસલમાન સમજવામાં આવશે અને તેની જનાઝાની નમાઝ પઢવામાં આવશે.

અલબત્તા અગર નાબાલિગ (અપરિપક્વ) બાળક જો અક઼લો શુઉર(ડહાપણ અને ચેતન)ની ઉમર સુઘી પહોંચી ગયુ હોય મરી જાય અને પોતાનાં ગૈર મુસ્લિમ બાપ યા માં નાં ઘર્મને કબૂલ કરી લીઘો હોય, તો તેને ગૈર મુસ્લિમ માનવામાં આવશે અને ન તો તેને કફનાવાં અને દફનાવામાં (ઈસ્લામી તરીકા પ્રમાણે) આવશે અને ન એની જનાઝાની નમાઝ પઠવામાં આવશે. [૧]

Source: http://ihyaauddeen.co.za/?p=1792


 

[૧] قوله ( كصبي سبي مع أحد أبويه ) أي لا يصلى عليه لأنه تبع لهما للحديث كل مولود يولد على الفطرة فأبواه يهودانه إلى آخره وتقدم في غسل الجنابة معنى الفطرة وأفاد بقوله ( إلا أن يسلم أحدهما ) أنه يصلي عليه لإسلامه تبعا للمسلم منهما لأنه يتبع خيرهما دينا (البحر الرائق ۲/۲٠۳)

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …