સુરએ દુહા ની તફસીર

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ

وَ الضُّحٰی ۙ﴿۱﴾ وَ الَّیۡلِ  اِذَا سَجٰی ۙ﴿۲﴾ مَا وَدَّعَکَ رَبُّکَ وَ مَا قَلٰی ؕ﴿۳﴾ وَ  لَلۡاٰخِرَۃُ  خَیۡرٌ لَّکَ مِنَ الۡاُوۡلٰی ؕ﴿۴﴾ وَ  لَسَوۡفَ یُعۡطِیۡکَ رَبُّکَ فَتَرۡضٰی ؕ﴿۵﴾ اَلَمۡ  یَجِدۡکَ یَتِیۡمًا فَاٰوٰی ۪﴿۶﴾ وَ  وَجَدَکَ ضَآلًّا فَہَدٰی ۪﴿۷﴾ وَ وَجَدَکَ عَآئِلًا فَاَغۡنٰی ؕ﴿۸﴾ فَاَمَّا  الۡیَتِیۡمَ  فَلَا تَقۡہَرۡ ؕ﴿۹﴾ وَ اَمَّا السَّآئِلَ  فَلَا تَنۡہَرۡ ﴿ؕ۱۰﴾ وَ اَمَّا بِنِعۡمَۃِ  رَبِّکَ  فَحَدِّثۡ ﴿۱۱﴾

અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.

ક઼સમ(સોગંદ) છે દિવસનાં પ્રકાશની (૧) અને ક઼સમ(સોગંદ) છે રાતની જ્યારે તે કરાર પકડી લે(પુર સુકૂન થઈ જાય) (૨) તમારા પરવરદિગારે ન તમને છોડી દીધા અને ન તમારાથી બેઝાર(નારાજ) થયા (૩) અને ખરેખર આખિરત તમારા માટે તમારી મૌજૂદા(ઝિંદગી)થી ઘણી બેહતર છે (૪) અને ટૂક સમયમાં તમારો રબ તમને(એટલી બઘી) નેમતોં આપશે, કે તમો ખુશ ખુશ થઈ જશો (૫) શું તેવણે(અલ્લાહ તઆલાએ) આપને યતીમ ન જોયા, પછી આપને ઠેકાણું આપ્યું (૬) અને તેવણે આપને(માર્ગથી) અજાણ જોયા, ફરી આપને સીધો માર્ગ દેખાડી આપ્યો (૭) અને આપને મોહતાજ જોયા, તો માલદાર બનાવી દીધા  (૮) તો તમો યતીમ પર સખતી ન કરો (૯) અને માંગનારને ધુત્કારશો નહી (૧૦) અને પોતાનાં પરવરદિગારની નેમતોંનું(ઉપકારનું) વર્ણન કરતા રહો (૧૧)

તફસીર

ઈસ્લામનાં પ્રારંભિક કાળમાં જ્યારે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મક્કા મુકર્રમામાં હતા થોડા દિવસો માટે અલ્લાહ તઆલાની તરફથી વહી નો સિલસિલો મૌકૂફ થઈ ગયો (અટકી ગયાો), તો કેટલાક કાફિરોએ આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને આ કટાક્ષ કરવાનું (તાનો મારવાનું)  શરૂ કરી દીધુ કે તમારો રબ તમોથી નારાજ થઈ ગયો છે, એટલા માટે હવે તમારી પાસે તેમનાં તરફથી વહી(એટલે અલ્લાહ તઆલાનાં ફરિશ્તા હઝરત જીબ્રઈલ (અલૈ.) પૈગંબરો પાસે અલ્લાહ તઆલાનો સંદેશો લઈને આવતા તેને વહી કહે છે) નથી આવી રહી છે.

આવા કટાક્ષ અને દિલ ને વિંધીનાંખનાર વાતો સાંભળી ખરેખર ઈન્સાન તકલીફ અને દર્દ મહસૂસ કરે છે, પણ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને અલ્લાહ તઆલા પર સંપૂર્ણ યકીન અને ભરોસો હતો કે અલ્લાહ તઆલાએ ન તો એમને છોડ્યા છે અને ન તો એમનાંથી નારાજ છે, તે છતા પણ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની તસલ્લીનાં માટે અને ઉમ્મતની તાલીમનાં માટે અલ્લાહ તઆલાએ ઉપરોક્ત સૂરત નાઝિલ ફરમાવી અને તેમાં બયાન ફરમાવ્યુ કે જે લોકો અલ્લાહ તઆલાનાં મુકર્રબ બંદા છે અને થોડી મુસીબતો તથા તકલીફથી પરેશાન છે, તેઓએ એક ક્ષણનાં માટે પણ એ ન વિચારવુ જોઈએ કે અલ્લાહ તઆલાએ તેઓને છોડી દીધા છે અથવા તેમનાંથી નારાજ થઈ ગયા છે.

અલ્લાહ તઆલાએ આ સૂરતની શરૂઆતમાં ફરમાવે છેઃ

وَ الضُّحٰی ۙ﴿۱﴾

ક઼સમ(સોગંદ) છે દિવસનાં પ્રકાશની ક઼સમ(સોગંદ) છે(૧)

وَ الَّیۡلِ اِذَا سَجٰی ۙ﴿۲﴾

અને ક઼સમ(સોગંદ) છે રાતની જ્યારે તે કરાર પકડી લે(પુર સુકૂન થઈ જાય)(૨)

مَا وَدَّعَکَ رَبُّکَ وَ مَا قَلٰی ؕ﴿۳﴾

તમારા પરવરદિગારે ન તમને છોડી દીધા અને ન તમારાથી બેઝાર(નારાજ) થયા(૩)

આ આયતોમાં અલ્લાહ તઆલાએ દિવસનાં પ્રકાશ પર અને રાત પર કસમ(સોગંદ) ખાધી(જ્યારે કે તે પૂર સુકૂન થઈ જાય). તેમાં આ બયાન વર્ણવમાં આવ્યુ છે કે ઈન્સાન પર મુખતલિફ(વિવિધ પ્રકારનાં) હાલાત આવશે, જેવી રીતે રાતનાં અંધારા બાદ પ્રકાશ આવે છે, એવી રીતે સખ્તી અને પરેશાની નાં પછી આસાની આવશે.

તેથી અગર કોઈ પર સખ્ત હાલાત આવે અને તે આઝમાઈશ(પરિક્ષા) માં જકડાયલો હોય, તો તે કદાપી એ ન વિચારે કે અલ્લાહ તઆલાએ તેને છોડી દીધો છે અને તેનાંથી નારાજ થઈ ગયો છે, બલકે તે અલ્લાહ તબારક વ તઆલાની તરફ ધ્યાન રાખે અને દરેક સમયે અલ્લાહ તઆલાની ઈતાઅત અને ફરમાંબરદારી માં લાગી રહે.

وَ  لَلۡاٰخِرَۃُ  خَیۡرٌ لَّکَ مِنَ الۡاُوۡلٰی ؕ﴿۴﴾

અને ખરેખર આખિરત તમારા માટે(હે મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તમારા હાલનાં(દુન્યાનાં) જીવન થી ઘણી બેહતર છે.(૪)

આ આયતે કરીમા થી મુરાદ આ છે કે આખિરતનું જીવન આપનાં માટે દુન્યાનાં જીવનથી બેહતર છે અને એનો બીજો મતલબ એ પણ હોઈ શકે છે આપની દુન્યાનાં જીવનમાં દરેક આવવા વાળી હાતલ પાછલી હાલતથી બેહતર અને અફઝલ થતી ચાલી જશે. એટલે તેમાં આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે ખાસ બશારત(સારી શુભેચ્છાઓ) છે કે અલ્લાહ તઆલા આપને ઉલૂમ તથા મઆરિફ(વિદ્વાનો તથા ઓળખાણ) અને પોતાનો કુર્બનાં દરજ્જાઓ માં પ્રગતિ અર્પણ ફરમાવશે અને તેમાં આપનાં માટે દુન્યાનાં જીવનનાં આર્થિક સમસ્યાઓ અને ઈઝ્ઝત તથા હુકૂમત માં પ્રગતિનાં તરફ પણ ઈશારો છે.

જેવી રીતે આ આયત માં હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે ખાસ બશારત(સારી શુભેચ્છાઓ) છે, એવી રીતે દરેક નેક મોમિનનાં માટે પ્રોત્સાહન છે કે તેને અલ્લાહ તઆલાની ખાસ રહમતનો દરેક સમયે ઉમ્મીદવાર રેહવુ જોઈએ.

અગર મોમિન પોતાનાં જીવનમાં હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મુબારક સુન્નતની ઈત્તિબાઅ કરે(અનુસરે) અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો કુર્બ હાસિલ કરવાની કોશિશ કરે, તો તેનાં જીવનમાં દરેક આવવા વાળા ક્ષણ પાછલા જીવન થી બેહતર અને સારા થશે, કારણકે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સતત તેનાં ઈલ્મ તથા અમલ(જ્ઞાન તથા કાર્ય), અકલ(બુદ્ધિ) તથા સમજ, ઈઝ્ઝત તથા એહતિરામ(સંમાન) અને અન્ય બાબતોમાં વધારો ફરમાવશે અને પ્રગતિ અર્પણ કરશે, તેથી અગર મોમિન પર કોઈ મુસીબત તથા પરેશાની આવે, તો તેને જોઈએ કે ઉદાસ અને દુઃખી ન થાય, બલકે તે અલ્લાહ તઆલાની રહમતથી ઉમ્મીદ રાખે અને અલ્લાહ તઆલાની તરફ રુજુઅ કરે.

وَ  لَسَوۡفَ یُعۡطِیۡکَ رَبُّکَ فَتَرۡضٰی ؕ﴿۵﴾

અને ટૂક સમયમાં તમારો રબ તમને(એટલી બઘી) નેમતોં આપશે, કે તમો ખુશ ખુશ થઈ જશો (૫)

આ આયતે કરીમા માં અલ્લાહ તઆલાએ બતલાવ્યુ કે તમો(અલ્લાહ તઆલા) પોતાનાં હબીબ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને એવી પ્રિય વસ્તુઓ આપશો કે તમે રાજી થઈ જશો. તમારી પ્રિય વસ્તુઓ માં દીને ઈસ્લામની પ્રગતિ, દીને ઈસ્લામનું આખી દુનિયામાં ફેલાવુ, આપનું પોતાનાં દુશ્મનોં પર કાબુ મેળવવુ, બઘુ એમાં દાખલ છે.

હદીષ શરીફ માં છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ

إِذًا وَاللَّهِ لَا أَرْضَى وَوَاحِدٌ مِنْ أُمَّتِي فِي النَّارِ

એટલે કે જ્યારે વાત આવી જ છે તો હું તે સમય સુઘી રાજી થઈશ નહીં જ્યાં સુઘી કે મારી ઉમ્મતમાંથી એક વ્યક્તિ પણ જહન્નમાં રહેશે.

આ વાક્ય થી આપણે આ વાતનો સારી રીતે અંદાજો લગાવી શકીએ કે નબીએ કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં દિલમાં પોતાની ઉમ્મતનાં માટે કેટલી વધારે મુહબ્બત છે, ત્યાં સુઘી કે અગર આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો એક વ્યક્તિ પણ દોઝખની આગમાં સળગી રહ્યો હશે, તો આપ ખુશ નહી થશો. બીજા શબ્દોમાં એમ કહો કે આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં દિલમાં પોતાની ઉમ્મતની મુહબ્બત એટલી વધારે છે કે આપની દિલી આરઝૂ છે કે પોતાની ઉમ્મતનાં દરેક વ્યક્તિ(ફર્દ)ને જન્નતમાં જોય લે. જેથી કયામતનાં દિવસે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અલ્લાહ તઆલાથી સિફારિશ ફરમાવશે કે તેમની ઉમ્મતનાં દરેક વ્યક્તિ(ફર્દ) ને જન્નતમાં દાખલ કરવામાં આવે.

રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પોતાની ઉમ્મતથી અનહદ મુહબ્બત ફરમાવે છે. તેમની મુહબ્બતનો તકાઝો એ છે કે આપણે પણ દરેક સમયે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી મુહબ્બત તથા વફાદારી બતાવે. આ બાબતમાં બે વસ્તુઓ અહમ અને જરૂરી છેઃ

પેહલી વસ્તુ એ છે કે આપણને જોઈએ કે જીવનનાં દરેક ઉમૂર(કાર્યો)માં આપણે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઈત્તિબા કરે અને જે વસ્તુઓ અને કામોંથી હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ખુશ ન હતા અને આપણને એનાંથી રોક્યા તો આપણે તે વસ્તુઓ અને કામોંથી બિલકુલ બચવું જોઈએ. એનાંથી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની પૂરેપુરી વફાદારી અને કદરદાની વ્યક્ત થશે.

બીજી વસ્તુ એ છે કે આપણે વધારે પ્રમાણમાં દુરૂદ શરીફ પઢે. ખાસ કરીને આપણે જુમ્આનાં દિવસે વધારેથી વધારે દુરૂદ શરીફ પઢવાનો એહતિમામ(પ્રબંધ) કરવો જોઈએ. આપણો આ અમલ(કાર્ય) નબીએ કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં દિલ મુબારકમાં આનંદ અને ખુશીનું કારણ બનશે.

اَلَمۡ  یَجِدۡکَ یَتِیۡمًا فَاٰوٰی ۪﴿۶﴾

શું તેવણે(અલ્લાહ તઆલાએ)આપને યતીમ ન જોયા, પછી આપને ઠેકાણું આપ્યું (૬)

રસૂલે કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) યતીમ(અનાથ) જનમ્યા હતા, કારણકે તમારા વાલિદ માજીદ(પિતા) તમારા જન્મથી પેહલા ઈન્તેકાલ ફરમાવી ચુક્યા હતા. અને જ્યારે આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) છ વર્ષનાં થયા, તો વાલિદા મુહતરમા(માતા) પણ ઈન્તેકાલ ફરમાવી ગયા. પછી તમારા દાદ અબ્દુલ મુત્તલિબે આંઠ વર્ષની ઉમર સુઘી તમારી પરવરીશ(ઉછેર) કરી, જ્યારે દાદાનો ઈન્તેકાલ થઈ ગયો, તો આપનાં ચાચા અબૂ તાલિબે પચાસ વર્ષની ઉમર સુઘી આપનો દરેક રીતે કાળજી લીઘી અને દરેક રીતે આપની સહાયતા અને સપોર્ટ કર્યો.

અબુ તાલિબનાં દિલમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં માટે એટલો મુહબ્બત તથા સ્નેહ હતો કે જે કોઈ પણ વાલિડ(પિતા)થી કંઈ ગણો વધારે હતો. વધારેમાં આ કે આ માત્ર અલ્લાહ તઆલાનો ફઝલ તથા કરમ હતો કે જેવોએ પણ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઝિયારત કરી અથવા આપ થી સંબંધ રાખ્યો, તો તેઓનાં દિલમાં આપની મુહબ્બત પેવસ્ત(સંયુક્ત) થઈ ગઈ. તો આ આયતે કરીમામાં અલ્લાહ તઆલાએ ખાસ ઈન્આમ અને પોતાનાં એહસાનોનોં ઝિક્ર ફરમાવ્યો જે આપે (અલ્લાહ તઆલાએ) પોતાનાં પ્યારા હબીબ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સાથે કર્યો.

وَ  وَجَدَکَ ضَآلًّا فَہَدٰی ۪﴿۷﴾

અને તેવણે આપને(માર્ગથી) અજાણ જોયા, ફરી આપને સીધો માર્ગ દેખાડી આપ્યો (૭)

નુબુવ્વતથી પેહલા રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) શરીઅતની વિગતોથી અજાણ હતા. આ આયતે કરીમામાં અલ્લાહ તઆલા ફરમાવે છે કે હમોએ આપને નુબુવ્વતથી સન્માનિત કર્યા અને આપને દીનનાં દરેક ઉલૂમ (જ્ઞાન)થી વાકેફ કર્યા અને નવાજ્યા જેનાં દ્વારા આપ લોકોને અલ્લાહ તઆલાની તરફ રેહનુમાઈ ફરમાવો(માર્ગદર્શન આપો).

وَ وَجَدَکَ عَآئِلًا فَاَغۡنٰی ؕ﴿۸﴾

અને અલ્લાહ તઆલાએ આપને મોહતાજ જોયા, તો (આપને) માલદાર બનાવી દીધા(૮)

આ આયતે કરીમામાં અલ્લાહ તઆલા નબીએ કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને સંબોધિને પોતાની નેઅમત યાદ અપાવી રહ્યા છે કે તમો યતીમ હતા, તમારી પાસે કોઈ દોલત ન હતી. પછી અલ્લાહ તઆલાએ તમોને દોલત અતા ફરમાવી અને તમોને ગરીબીથી કાઢીને ઘનવાન અને માલદાર બનાવી દીધા.

فَاَمَّا  الۡیَتِیۡمَ  فَلَا تَقۡہَرۡ ؕ﴿۹﴾

તો તમો યતીમ પર સખતી ન કરો (૯)

રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) યતીમીનું જીવન ગુજાર્યુ હતુ, તેથી આપને તે ભાવનાંઓનો સારી રીતે ઈલ્મ(જ્ઞાન) હતો, જે એક યતીમનાં દીલો-દીમાગ માં આવતા રહે છે. સામાન્ય રીતે લોકો યતીમોની દેખભાલ નથી કરતા અને તેઓની સાથે કરૂણાં તથા પ્રેમનો વ્યવ્હાર નથી કરતા. આજ કારણ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ યતીમોની દેખભાલ અને પરવરીશ(કેળવણી) કરવા વાળાઓનાં માટે અજરે અઝીમ(મહાન ઈનામ) નો વાદો ફરમાવ્યો છે.

એક હદીષ શરીફમાં વારિદ છે કે મુસલમાનોનાં ઘરોમાંથી  શ્રેષ્ઠ ઘર તે છે, જેમાં યતીમ બાળક હોય અને તેની સાથે સારો વર્તાવ તથા વ્યવ્હાર કરવામાં આવે અને મુસલમાનોં નાં ઘરોમાંથી બદતરીન ઘર તે છે જેમાં યતીમ બાળક હોય અને તેની સાથે બદસુલુકી(ખરાબ વ્યવ્હાર) કરવામાં આવે.

وَاَمَّا السَّآئِلَ فَلَا تَنۡہَرۡ ﴿ؕ۱۰﴾

અને માંગનારને ધુત્કારશો નહી (૧૦)

આ આયતે કરીમા માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ નબીએ કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને ફરમાવી રહ્યા છે કે અગર આપની પાસે કોઈ સાઈલ આવે, તો તેને ધુત્કારશો નહી અને તેનો ખ્યાલ રાખો. આપનાં આ વર્તનને જોઈને આપની ઉમ્મત પણ ગરીબોં અને તંગ દસ્તો(અભાવ ગ્રસ્તો)ની સાથે સારૂ વર્તન કરશે અને એમનો ખ્યાલ રાખશે.

وَاَمَّا بِنِعۡمَۃِ رَبِّکَ فَحَدِّثۡ ﴿۱۱﴾

અને પોતાનાં પરવરદિગારની નેમતોંનું(ઉપકારનું) વર્ણન કરતા રહો(૧૧)

આ આયતે કરીમા માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રસૂલે કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને સંબોધિને આદેશ આપી રહ્યા છે કે આપ અલ્લાહ તઆલાની અત઼ા કરદા(આપેલી) નેમતોં(ઉપકાર) નો તઝકિરો(વર્ણન) કરતા રહો.

આનાંથી ખબર થઈ કે જે નેમતોં અલ્લાહ તઆલાએ ઈન્સાનને અર્પણ કરી, તો તેનાં માટે તે નેમતોંનો તઝકિરો(વર્ણન) કરવુ લોકોની સામે જાઈઝ છે. આ શર્તની સાથે કે તે ફખર(અભિમાન) ન કરે અને ન તે ઈન્આમાત તથા એહસાનાતને પોતાનો વ્યક્તિગત કમાલ સમજે, બલકે તેને માત્ર અલ્લાહ તઆલાનો ફઝલ(કૃપા) તથા કરમ સમજે.

Check Also

સૂરહ ઇખ્લાસની તફસીર

قُل هُوَ اللّٰهُ اَحَدٌ ‎﴿١﴾‏ اللّٰهُ الصَّمَدُ ‎﴿٢﴾‏ لَم يَلِدْ وَلَم يُوْلَد ‎﴿٣﴾‏ وَلَمْ يَكُن …