સહાબએ કિરામ (રદિ.) કેવી રીતે અલ્લાહ તઆલાની મદદ હાસિલ કરી

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ‎ઈરશાદ ફરમાવ્યુઃ  

“ક્યારેય ન વિચારો દુનિયા શું તરક્કી કરી રહી છે, તરક્કી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઈત્તિબાઅમાં છે, સહાબએ કિરામ (રદિ.) પોતાનાં નેઝાવોને બાદશાહોની કાલીનો પર મારતા હતા કે તમારી વસ્તુઓની અમારા દિલમાં ઝર્રા બરાબર મૂલ્ય નથી અને આપણો હાલ તેનાંથી વિરૂદ્ધ છે અમારા દિલોમાં દુનિયાનું મૂલ્ય જ મૂલ્ય છે અને બીજું કંઈજ નથી, બસ આપણે જાતે પોતાને ઝલીલ કરી રાખ્યા છે, દુનિયાની મોહબ્બત એક વખત નિકળી જાય પછી જુવો.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૧૩૮)

Source: https://ihyaauddeen.co.za/?p=6518


Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …