હજ્જ અને ઉમરહની સુન્નતોં અને આદાબ – ૨

હજ્જ અને ઉમરહનાં ફઝાઈલ

અહાદીષે મુબારકામાં સહીહ તરીકાથી હજ્જ અને ઉમરહ અદા કરવા વાળાનાં માટે ઘણી બઘી ફઝીલતો વારિદ થઈ છે અને તેનાં માટે ઘણાં બઘા વાયદાવો કરવામાં આવ્યા છે. નીચે અમુક ફઝીલતો બયાન કરવામાં આવી છે, જે અહાદીષે મુબારકામાં વારિદ થઈ છેઃ

(૧) હાજી એ હાલમાં પાછો આવશે કે તેનાં બઘા ગુનાહ માફ થઈ જાય છેઃ

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે માણસે (અલ્લાહ તઆલાની રિઝાનાં માટે) હજ્જ કર્યુ અને કોઈ બેહુદા વાત નહી કરી અને ન તો કોઈ ખરાબ કૃત્ય કર્યુ, તો તે (ગુનાહોંથી પાક સાફ થઈને) તે દિવસની જેમ પાછો ફરશે, જે દિવસે તે માંનાં પેટથી પૈદા થયો હતો.” [૧]

(૨) મકબૂલ હજ્જનો ષવાબ જન્નત છેઃ

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મકબૂલ હજ્જનો ષવાબ માત્ર જન્નત છે.” [૨]

(૩) હજ્જ ગરીબીને દૂર કરે છેઃ

હઝરત અબ્દુલ્લાહ બિન મસઉદ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “હજ્જ અને ઉમરહ એક સાથે કર્યા કરો, કારણકે આ બન્નેવ ગરીબી દૂર કરે છે અને ગુનાહોંથી પાક કરે છે જેવી રીતે ભટ્ટી લોખંડ, ચાંદી અને સોનાથી ગંદગી દૂર કરે છે.” [૩]

(૪) હુજ્જાજે કિરામ અલ્લાહ તઆલાનાં પ્રતિનિધિઓ (નુમાઈન્દાવો) છેઃ

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “હજ્જ અને ઉમરા અદા કરવા વાળાઓ અલ્લાહ તઆલાનાં પ્રતિનિધિઓ (નુમાઈન્દાવો) છે. જો તેઓ અલ્લાહ તઆલાથી કોઈ વસ્તુની દુઆ કરે, તો અલ્લાહ તઆલા તેઓને અતા ફરમાવશે અને જો તેઓ અલ્લાહ તઆલાથી મગફિરત તલબ કરે, તો અલ્લાહ તઆલા તેઓની મગફિરત ફરમાવશે.” [૪]

હઝરત અબુ હુરૈરહ (રદિ.) ની બીજી રિવાયતમાં છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મુજાહિદ, હાજી અને ઉમરા કરવા વાળાઓ અલ્લાહ તઆલાનાં પ્રતિનિધિઓ (નુમાઈન્દાવો) છે, જો તેઓ અલ્લાહ તઆલાથી દુઆ કરે, તો અલ્લાહ તઆલા તેઓની દુઆ કબૂલ ફરમાવશે અને જો તેઓ અલ્લાહ તઆલાથી કોઈ વસ્તુનો સવાલ કરે, તો અલ્લાહ તઆલા તેઓને અતા ફરમાવશે.” [૫]

(૫) અલ્લાહ તઆલાનું  હાજીયોથી ખુશ થવુઃ

હઝરત અબુ હુરૈરહ (રદિ.) ફરમાવે છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “અરફાનાં દિવસે અલ્લાહ સુબ્હાનહુ વતઆલા ફરિશ્તાવોની સામે હાજીયોથી પોતાની ખુશી અને રઝામંદીનો ઈઝહાર ફરમાવે છે અને અલ્લાહ તઆલા ફરિશ્તાવોથી ફરમાવે છે મારા બંદાવોને જુવો ! તેઓ મારી પાસે પરેશાનીની હાલતમાં અને હેરાનીની હાલતમાં આવ્યા છે.” [૬]

(૬) હાજીયોની દુઆનું કબૂલ થવુઃ

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જ્યારે તમે હાજીયોથી મળો, તો તેને સલામ કરો, તેની સાથે મુસાફહો કરો અને તેથી દુઆની દરખ્વાસ્ત કરો કે તે તેનાં ઘરમાં દાખલ થવા પેહલા તમારા માટે મગફિરત અને બખશિશની દુઆ કરે, કારણકે તેની દુઆ કબૂલ કરવામાં આવશે, એટલા માટે કે અલ્લાહ તઆલાએ તેનાં બઘા ગુનાહ માફ કરી દીઘા છે.” [૭]

(૭) દસ રબીઉલ અવ્વલ સુઘી હાજીયોની મગફિરતઃ

હઝરત ઉમર (રદિ.) ફરમાવે છે કે “દસ રબીઉલ અવ્વલ સુઘી હાજીની મગફિરત કરવામાં આવે છે અને તે લોકોની મગફિરત કરવામાં આવે છે, જેનાં માટે હાજી મગફિરતની દુઆ કરે છે.” [૮]

(૮) ઉમરહ ગુનાહોને ભૂંસી નાંખે છેઃ

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “એક ઉમરહ બીજા ઉમરહ સુઘી ગુનાહોનો કફ્ફારો છે (જે બન્નેવ ઉમરહનાં દરમિયાન કરવામાં આવ્યા હોય) અને મકબૂલ હજ્જનો ષવાબ જન્નત જ છે.” [૯]


[૧] صحيح البخاري، الرقم: ۱٤٤۹

[૨] صحيح البخاري، الرقم: ۱٦۸۳

[૩] سنن الترمذي، الرقم: ۸۱٠، وقال: حديث ابن مسعود حديث حسن صحيح غريب

[૪] سنن ابن ماجه، الرقم: ۲۸۹۲، الترغيب والترهيب، الرقم: ۱٦۹۹، قال البوصيري في مصباح الزجاجة ۳/۱۸۳: هذا إسناد ضعيف، صالح بن عبد الله قال فيه البخاري منكر الحديث رواه البيهقي في سننه الكبرى من طريق إبراهيم بن المنذر الحزامي فذكره بتمامه

[૫] سنن ابن ماجة، الرقم: ۲۸۹۳، قال البوصيري في مصباح الزجاجة ۳/۱۸۳: هذا إسناد حسن، عمران مختلف فيه رواه ابن حبان في صحيحه عن الحسن بن سفيان عن الحسن عن سهل عن عمران بن عيينة فذكره بإسناده ومتنه ورواه البيهقي من هذا الوجه فوقفه ولم يرفعه وروى النسائي في الصغرى الشطر الأول من حديث أبي هريرة

[૬] المستدرك على الصحيحين للحاكم، الرقم: ۱۷٠۸، وقال الذهبي: هذا حديث صحيح على شرط الشيخين ولم يخرجاه

[૭] مسند أحمد، الرقم: ۵۳۷۱، قال الهيثمي في مجمع الزوائد، الرقم: ۵۹۲۷: رواه أحمد وفيه محمد بن البيلماني وهو ضعيف

[૮] المصنف لابن أبي شيبة، الرقم: ۱۲۸٠٠، وفي سنده ضعف كما في الأجوبة المرضية للسخاوي ۳/۱٠٤۳

[૯] صحيح البخاري، الرقم: ۱۷۷۳

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...