હજરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મોહબ્બત પોતાની ઝાતથી પણ વધારે

حدثني أبو عقيل زهرة بن معبد أنه سمع جده عبد الله بن هشام قال: كنا مع النبي صلى الله عليه وسلم وهو آخذ بيد عمر بن الخطاب فقال له عمر يا رسول الله لأنت أحب إلي من كل شيء إلا من نفسي فقال النبي صلى الله عليه وسلم: لا والذي نفسي بيده حتى أكون أحب إليك من نفسك فقال له عمر فإنه الآن والله لأنت أحب إلي من نفسي فقال النبي صلى الله عليه وسلم: الآن يا عمر (صحيح البخاري، الرقم: ٦٦۳۲)

એક વખત હઝરત ઉમર (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને કહ્યુઃ હે અલ્લાહનાં રસૂલ ! મને પોતાની ઝાતનાં વગર દરેક વસ્તુનાં મુકાબલામાં આપથી વધારે મોહબ્બત છે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ નહી, તે ઝાતની કસમ જેનાં કબઝામાં મારી જાન છે (તમારૂ ઈમાન તે સમય સુઘી સંપૂર્ણ નહી થશે) જ્યાં સુઘી કે હું તમારી નજદીક તમારી ઝાતથી પણ વધારે મહબૂબ ન થઈ જાવું. હઝરત ઉમર (રદિ.) ફરમાવ્યુઃ અલ્લાહ તઆલાની કસમ ! હવે મને આપથી પોતાની ઝાતથી પણ વધારે મોહબ્બત છે. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ હે ઉમર હવે તમારું ઈમાન મુકમ્મલ થઈ ગયુ.

હઝરત ઉમર (રદિ.) ની ખુશી

એક વખત હઝરત ઉમર (રદિ.) એ હઝરત અબ્બાસ (રદિ.) (નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ) નાં ચાચા) ને કહ્યુઃ મને મારા વાલિદનું ઈસ્લામ કબૂલ કરવાનાં મુકાબલામાં આપનું ઈસ્લામ કબૂલ કરવાથી વધારે ખુશી થઈ, કારણકે આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને આપનાં ઈસ્લામ લાવવાથી વધારે ખુશી થઈ મારા વાલિદનાં ઈસ્લામ લાવવાનાં મુકાબલામાં. (શર્હ મઆનિયુલ આષાર, ૩/૩૨૧)

દુરૂદ શરીફ વધારે પ્રમાણમાં પઢવુ

હઝરત હાફિઝ અબુ નુઐમ (રહ.) નકલ કરે છે કે હઝરત સુફિયાન ષૌરી (રહ.) પોતાનો એક વાકિયો બયાન કર્યો કે

હું એક વખત પોતાનાં ઘરથી નિકળી રહ્યો હતો કે મારી નજર એક નૌવજવાન પર પડી, જે દરેક કદમ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّعَلٰى آلِ مُحَمَّدٍ પઢી રહ્યો હતો. મેં એને પુછ્યુઃ શું તારા આ અમલનો કોઈ સબૂત છે(અથવા તુ આ પોતાની તરફથી પઢી રહ્યો છે) ? તેણે સવાલ કર્યોઃ તમો કોણ છો ? મેં જવાબ આપ્યોઃ સુફિયાન ષૌરી. તેણે પૂછ્યુઃ શું તમે ઈરાકનાં સુફિયાન છો? મેં કહ્યુઃ હાં.

તેણે પૂછ્યુઃ શું તમને અલ્લાહ તઆલાની મારિફત હાસિલ છે? મેં હાં કહી જવાબ આપ્યો, તો તેણે પૂછ્યુઃ તમોએ અલ્લાહ તઆલાને કઈ રિતે ઓળ્ખ્યા ? મેં ક્હુઃ અલ્લાહ તઆલા રાતને દિવસમાં બદલે છે અને દિવસને રાતમાં બદલે છે અને બાળકને માં ના પેટમાં શકલો સૂરત અર્પણ કરે છે. તેણે કહ્યુઃ આપે અલ્લાહ તઆલાની સહીહ મારિફત હાસિલ નથી કરી.

પછી મેં સવાલ કર્યોઃ તો તમે કઈ રિતે અલ્લાહ તઆલાને ઓળખ્યા ? તેણે જવાબ આપ્યોઃ હું કોઈ કામનો મજબૂત ઈરાદો કરૂં છું, પરંતુ મારાથી પુરૂ નથી થતુ (એટલે હું કોઈ કામ કરવા માંગુ છું, પરંતુ કુદરત હોવા છતા તેને પુરૂ નથી કરી શકતો). તેનાંથી મેં જાણી લીઘુ કે બીજી કોઈ કુદરત છે (એટલે અલ્લાહ તઆલાની કુદરત), જેનાં હાથમાં મારા દરેક કામની બાગ દોડ (વ્યવસ્થા) છે.

ત્યાર બાદ મેં તેમને પૂછ્યુ કે તમે દરેક કદમ પર દુરૂદ શરીફ કેમ પઢી રહ્યા છો, તો તેમણે કહ્યુ કે હું પોતાની વાલિદા (માતા) ની સાથે હજ માટે જઈ રહ્યો હતો, પણ મારી વાલિદા (માતા) રસ્તામાં જ ઈન્તેકાલ કરી ગઈ. તેમનાં ઈન્તેકાલ પછી તેમનો ચેહરો કાળો થઈ ગયો અને પેટ ફૂલી ગયુ. આ જોઈ મને સમજાયુ કે મારી વાલિદા(માતા) એ પોતાના જીવનમાં કોઈ ગંભીર પાપ (ગુનાહ) કર્યો હશે જેનાં કારણે તેમની સાથે આ થયુ.

તો તરતજ મેં આસમાનની તરફ દુઆ કરવા માટે હાથ ઉઠાવ્યા, પરંતુ જેવુજ દુઆનાં માટે આસમાનની તરફ હાથ ઉઠાવ્યા, તો મેં જોયુ કે “તિહામા” (હિજાજ) ની તરફથી એક વાદળ આવી રહ્યુ છે, જેમાંથી એક વ્યક્તિ ઉપસ્થિત થયો, તેમણે પોતાનો હાથ મારી વાલિદા(માતા) નાં ચેહરા પર ફેરવ્યો, તો ચેહરો રોશન થઈ ગયો પછી તેમણે તેનાં(વાલિદાનાં) પેટ પર હાથ ફેરવ્યો, તો પેટનો ફુલાવો ખતમ થઈ ગયો.

મેં તે માણસને પૂછ્યુઃ તમો કોણ છો? તમોએ મારી વાલિદાની અને મારી ઘણી મોટી મશ્કેલી દૂર કરી દીઘી. તેવણે જવાબ આપ્યોઃ હું તમારો રસૂલ મુહમંદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) છું.

મેં આપથી રજુઆત કરી કે કંઈક નસીહત કરો, તો આપે ફરમાવ્યુઃ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّعَلٰى آلِ مُحَمَّدٍ  પઢ્યા કરો. (દુર્રુલ મનદુદ, પેજ નઃ૨૪૬)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...