અલ્લાહ તઆલાની મખલુકનાં સરતાજ – હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ ‎અલયહિ વસલ્લમ)‎

عن ابن عباس رضي الله عنهما قال: جلس ناس من أصحاب رسول الله صلى الله عليه وسلم ينتظرونه قال: فخرج حتى إذا دنا منهم سمعهم يتذاكرون فسمع حديثهم فقال بعضهم: عجبا إن الله عز وجل اتخذ من خلقه خليلا اتخذ من إبراهيم خليلا وقال آخر: ماذا بأعجب من كلام موسى كلمه تكليما وقال آخر: فعيسى كلمة الله وروحه وقال آخر: آدم اصطفاه الله فخرج عليهم فسلم وقال: قد سمعت كلامكم وعجبكم إن إبراهيم خليل الله وهو كذلك وموسى نجي الله وهو كذلك وعيسى روحه وكلمته وهو كذلك وآدم اصطفاه الله وهو كذلك ألا وأنا حبيب الله ولا فخر وأنا حامل لواء الحمد يوم القيامة ولا فخر وأنا أول شافع وأول مشفع يوم القيامة ولا فخر وأنا أول من يحرك حلق الجنة فيفتح الله لي فيدخلنيها ومعي فقراء المؤمنين ولا فخر وأنا أكرم الأولين والآخرين ولا فخر (سنن الترمذي، الرقم: ۳٦۱٦)‏‏

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) ફરમાવે છેઃ અમુક સહાબએ કિરામ (રદિ.) (મસ્જીદે નબવીમાં) બેસીને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો ઈન્તેજાર કરી રહ્યા હતા. થોડી વાર પછી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નીકળ્યા (એટલે ઘરેથી નિકળ્યા), અહિંયા સુઘી કે જ્યારે તેઓથી કરીબ થયા, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તેઓને વાત કરતા સાંભળ્યા અને આપ (સલ્લલ્લાહુ અલયહ વસલ્લમે) તેઓની વાતો સાંભળી.

એકે કહ્યુઃ કેટલા આશ્ચર્યની વાત છેે ! અલ્લાહ તઆલાએ પોતાની મખલુકમાંથી એક દોસ્ત બનાવ્યો. અલ્લાહ તઆલાએ ઈબ્રાહીમ (અલૈ.)ને પોતાનો ખાસ દોસ્ત બનાવ્યો.

બીજાએ કહ્યુઃ મૂસા (અલૈ.)ની સાથે વાત-ચીત કરવાથી વધારે આશ્ચર્યની વાત શું છે ! અલ્લાહ તઆલાએ મૂસા (અલૈ.) થી ખાસ રીતે વાત-ચીત કરી.

ત્રીજાએ કહ્યુઃ ઈસા (અલૈ.) અલ્લાહ તઆલાનાં બોલ અને તેમની ખાસ રૂહ છે (એટલે ઈસા (અલૈ.) અલ્લાહ તઆલાનાં હુકમથી પૈદા થયા અને તેમની પૈદાઈશમાં બાપનો વાસ્તો નહી હતો).

ચોથાએ કહ્યુઃ અલ્લાહ તઆલાએ આદમ (અલૈ.) ને પસંદ કર્યા.

પછી આપ (સલ્લલ્લાહ અલયહિ વસલ્લમ) તેમની સામે નિકળ્યામ, અને સલામ કર્યુ અને ફરમાવ્યુઃ “મેં તમારા બઘાની વાતો સાંભળી, અને આપની આશ્ચર્યને પણ સાંભળ્યુ, બેશક ઈબ્રાહીમ (અલૈ.) અલ્લાહ તઆલાનાં ખાસ દોસ્ત છે, અને તેવણ તેવાજ છે (એટલે તેમાં કોઈ શક નથી), અને મૂસા (અલૈ.)ની સાથે વાત-ચીત કરવા વાળા છે, અને તેવણ તેવાજ છે, અને ઈસા (અલૈ.) અલ્લાહ તઆલાની ખાસ રૂહ અને તેમના બોલ છે અને તેવણ તેવાજ છે અને આદમ (અલૈ.) અલ્લાહ તઆલાનાં પસંદ કરેલા છે, અને તેવણ તેવાજ છે.

અને સાંભળો ! હું અલ્લાહ તઆલાનો હબીબ (મહબૂબ દોસ્ત) છું, અને ફખર નથી કરી રહ્યો ! (બલકે હકીકત કહી રહ્યો છું).

અને હું કયામતનાં દિવસે હમ્દનો ઝંડો ઉવાવવા વાળો હોઈશ, અને ફખર નથી કરી રહ્યો !

અને હું કયામતનાં દિવસે પેહલો સિફારિશ કરવા વાળો અને પેહલો સિફારિશ કબૂલ થવા વાળો હોઈશ, અને ફખર નથી કરી રહ્યો !

 અને હું પેહલો માણસ હોઈશ કે જન્નતનાં દરવાજાનાં કડા હલાવિશ, અલ્લાહ તઆલા મારા માટે જન્નતનાં દરવાજા ખોલશે અને અલ્લાહ તઆલા મને જન્નતમાં દાખલ કરશે અને મારી સાથે ગરીબ મોમિનીન હશે, અને હું ફખર નથી કરી રહ્યો !

અને હું અગાળીનાં અને પાછલા લોકોમાંથી સૌથી વધારે માનનીય હોઈશ, અને હું ફખર નથી કરી રહ્યો ! (બલકે હકીકત કરી રહ્યો છું).”

સહાબએ કિરામ (રદિ.) ની દરેક વસ્તુમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ) ની તકલીદ

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી એક માણસે પૂછ્યુ કે કુર્આન શરીફમાં મુકીમની નમાઝનો પણ ઝિકર છે અને  ખૌફની નમાઝનો પણ, મુસફિરની નમાઝનો ઝિકર નથી. તેવણે ફરમાવ્યુ કે ભાઈ અલ્લાહ તઆલાએ હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને નબી બનાવીને મોકલ્યા. આપણે અનજાણ હતા કંઈ જાણતા ન હતા બસ જે અમે એમને કરતા જોયા તે કરીશું. (સહીહ ઈબ્ને હિબ્બાન)

નોટઃ- હઝરત શૈખુલ હદીષ મૌલાના મોહમ્મદ ઝકરિય્યા કાંઘલવી (રહ.) ફરમાવે છેઃ

મકસદ આ છે કે દરેક મસઅલાની સરાહત કુર્આન શરીફમાં હોવુ જરૂરી નથી અમલનાં માટે હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી સાબિત થઈ જવુ કાફી છે. ખુદ હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે કે મને કુર્આન શરીફ આપવામાં આવ્યુ અને તેનાં બરાબર અહકામ આપવામાં આવ્યા. ટૂંક સમયમાં તે જમાનો આવવાનો છે કે પેટ ભરેલા લોકો પોતાનાં ગાદલાવો પર બેસીને કહેશે કે બસ કુર્આન શરીફને મજબૂતીથી પકડી લો જે તેમાં અહકામ છે તેનાં પર અમલ કરો. પેટ ભરેલાથી મુરાદ આ છે કે આવા પ્રકારનાં ફાસિદ ખ્યાલ દોલતનાં નશાથી જ પૈદા થાય છે. (ફઝાઈલે આમાલ, પેજ નં-૧૦૬)

ચેહરાનો રંગ બદલાઈ જવાનો વાકિઓ(ઘટના)

ઈમામ ગઝાલી(રહ.)એ ઈહ્યાઉલ ઉલૂમ માં અબ્દુલવાહિદ બિન ઝૈદ બસરી (રહ.) થી નકલ કર્યું છે કે “હું હજ માટે જઈ રહ્યો હતો, એક માણસ મારી સાથે સફરનો સાથી થઈ ગયો. તેવણ દરેક સમયે ચાલતા ફરતા, ઉઠતા બેસતા હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ પઢ્યા કરતા હતા.

મેં એમને તેમનું વધારે પ્રમાણમાં દુરૂદ શરીફ પઢવાનું કારણ પુછ્યુ. એમણે કહ્યુ કે જ્યારે હું પ્રથમ વખત હજ માટે ગયો તો મારા વાલિદ પણ સાથે હતા જયારે અમે પાછા ફરતા હતા(રીટર્ન થતા હતા) ત્યારે અમે એક જગ્યા પર સુઈ ગયા. મેં ખ્વાબ(સ્વપ્ન) માં જોયું મને કોઈ માણસ કહી રહ્યુ છે કે ઉઠ તારો બાપ મરી ગયો અને એમનું મોઢું કાળુ થઈ ગયુ.

હું ગભરાયેલી હાલતમાં ઉઠ્યો તો મારા વાલિદ સાહબનાં મોઢા પરથી કપડું ઉઠાવીને જોયુ તો ખરેખર મારા વાલિદ નો ઈન્તેકાલ થઈ ગયો હતો અને એમનું મોઢું કાળુ થઈ રહ્યુ હતુ.

મારા ઉપર આ ઘટના નો એટલો બઘો ગમ(દુઃખ) સવાર થઈ ગયો કે હું એના કારણે ઘણોજ ગભરાઈ રહ્યો હતો એટલી વારમાં ફરીવાર મારી આંખ લાગી ગઈ, મેં ફરીથી ખ્વાબમાં (સ્વપ્નમાં) જોયુ કે મારા વાલિદ નાં માથા પર ચાર કાળા ચેહરાવાળા જેમના હાથમાં લોખંડનાં મોટા દંડા હતા. અને તય્યાર હતા.

એટલામાં એક બુઝુર્ગ ખૂબજ હસીન ચેહરો બે લીલા રંગના કપડાં પહેરી તશરીફ લાવ્યા અને એવણે તે હબશીયોને (કાળા માનવીઓને) હટાવી દીઘા અને પોતાનાં મુબારક હાથને મારા વાલિદનાં મોઢાં પર ફેરવ્યા અને મને ઈરશાદ ફરમાવ્યુ, કે ઉઠ અલ્લાહ તઆલાએ તારા વાલિદનાં ચેહરાને સફેદ કરી દીઘો. મેં કહ્યુ, મારા માં બાપ તમારા પર કુરબાન, તમે કોણ છો. આપે ફરમાવ્યુ, મારૂ નામ મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) છે. ત્યાર પછી થી મેં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ પઢવાનું ક્યારેય (કોઈપણ દિવસ) નથી છોડ્યું.” (ફઝાઈલે દુરૂદ પેજ નઃ૧૭૭)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...