કયામતનાં દિવસે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં પાડોશી ‎થવાનો લહાવો‎

عن رجل من آل الخطاب عن النبي صلى الله عليه وسلم قال من زارني متعمدا كان في جواري يوم القيامة ومن سكن المدينة ‏وصبر على بلائها كنت له شهيدا وشفيعا يوم القيامة ومن مات في أحد الحرمين بعثه الله من الآمنين يوم القيامة (شعب ‏الإيمان، الرقم: ۳۸۵٦) رواه البيهقي في الشعب كذا في المشكوة وفي الإتحاف برواية الطيالسي بسنده إلى ابن عمر عن ‏عمر ثم قال : وعن رجل من آل خطاب رفعه من زارني متعمدا كان في جواري يوم القيامة … الحديث أخرجه البيهقي وهو ‏مرسل والرجل المذكور مجهول وبسط الكلام على طرقه السبكي وقال : هو مرسل جيد (فضائلِ حج صـ ۱۸۵)‏

હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી નકલ કરવામાં આવ્યુ કે “જે માણસ ઈરાદો કરે કે મારી ઝિયારત કરે તે કયામતમાં મારી પડોસમાં હશે અને જે માણસ મદીનામાં કયામ કરે અને ત્યાંની તંગી અને તકલીફ પર સબર કરે હું તેનાં માટે કયામતમાં ગવાહ અને સિફારિશી થઈશ અને જો હરમે મક્કા અથવા હરમે મદીનામાં મરી જશે તે કયામતમાં અનવાળાઓમાં ઉઠશે.”

રસુલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી સહાબએ કિરામ (રદિ.)ની બેપનાહ મોહબ્બત

કોઈ માણસે હઝરત અલી (રદિ.) થી સવાલ કર્યોઃ સહાબએ કિરામ (રદિ.)નાં દિલોમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની કેટલી મોહબ્બત હતી?

હઝરત અલી (રદિ.) જવાબ આપ્યોઃ હું અલ્લાહ તઆલાની કસમ ખાઈને કહું છું કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મોહબ્બત અમારા દિલોમાં પોતાનો માલ, બાળકો અને માંવોથી વધારે હતો અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની બાબરકત સંગાત અમારા માટે ઘણી સખત અતિશય તરસની હાલતમાં એક ઘોંટ પાણીથી વધારે અઝીઝ હતી. (અશશિફા બિતઅરીફિ હુકૂકિલ મુસ્તફા)

દુરૂદ શરીફ અલ્લાહ તઆલાની નિકટતાનું કારણ

કઅબ બિન અહબાર (રહ.) (એક તાબિઈ અને ઈસ્લામ કબૂલ કરવા પેહલા યહૂદિયોનાં વિખ્યાત આલિમ હતા) થી રિવાયત છે કે અલ્લાહ તઆલા એ હઝરત મૂસા(અલૈ.) ને ફરમાવ્યુઃ હે મૂસા ! શું તમે ચાહો છો કે તમે મારાથી આનાંથી વધારે કરીબ(નિકટ) થઈ જાવો, જેટલો તમારો કલામ(વાત) તમારી જબાનથી કરીબ છે અને તમારા દિલનાં વિચારો તમારા દિલથી કરીબ છે અને તમારી રૂહ તમારા શરીરથી કરીબ છે અને તમારી નજર તમારી આંખથી કરીબ છે. હઝરત મૂસા (અલૈ.) તરતજ જવાબ આપ્યોઃ હાં, મારા રબ ! અલ્લાહ તઆલાએ ફરમાવ્યુઃ તો તમે વધારે મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલો. (અલ કવલુલ બદીઅ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...